SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આઠમો ૫૯લવ 88888888888888888888888È શીખવાને આરંભ કરવાને છે, પણ તારે તારા ગુરૂનું મુખ જેવું નહિ, કારણ કે સમરત શાસ્ત્રમાં તે કુશળ છે, પણ કર્મના દેષથી ચંદ્રના કલંકની જેમ કુ ટ રેગથી તે ઉપદ્રવિત થયેલ છે. રાજવંશીઓને કટીનું મુખ જેવાને નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જવનિકા(પઈ)માં રહીને જ તારે શીખવું.” આ પ્રમાણે પુત્રીને શિખામણ આપીને મુકરર (નકકી કરેલ દિવસે શાસ્ત્રને આરંભ કરાવ્યું. હંમેશા ઉદાયન વાસવદત્તાના મહેલે જઈને ભદ્રાસન ઉપર બેસીને પડદાને આંતરે બેઠેલી વાસવદત્તાને સંગીતશાસ્ત્રના મર્મો શીખવવા લાગે, તે પણ વિનયપૂર્વક પિતાની બુદ્ધિ અનુસાર શાસ્ત્રના રહસ્ય શીખવા લાગી, ઉદાયન તેનું બુદ્ધિકૌશલ્ય જોઈને પ્રસન્ન થઈ ઉત્સાહ પૂર્વક ભણાવવા લાગ્યો, એક દિવસ સંગીતશાસ્ત્ર શીખતી વાસવદત્તાને તાલ, માન, માત્રા, લય અનુભાવ, અલંકાર વિગેરેથી રાત્પત્તિને સમય અત્યંત સૂક્ષમ રીતે સમજાવ્યું, પણ અત્યંત સૂકમ દૃષ્ટિથી તે ગ્રહણ કરાય તેમ હોવાથી બે, ત્રણ ચાર વખત શીખવ્યા છતાં વાસવદત્તા તે બરાબર ગ્રહણ કરી શકી નહિ, તેથી વારંવાર તે પૂછવા લાગી, એટલે વત્સરાજ કહેતાં કહેતાં થાકી જવાથી આક્રોશ પૂર્વક ક્રોધ કરીને તિરસ્કાર પૂર્વક બે કે-“અરે કાણાક્ષિ નેત્રની સાથે શું તારી બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે ?” આંખના કૂટવા સાથે શું તારૂ હદયપણું ફૂટી ગયું છે ? અરે અન્ય ચિત્તવાળી મેં વારંવાર કહ્યું તે પણ કેમ ધારણ કરી, શકતી નથી ? આ પ્રમાણુના અધ્યાપકનાં વચને સાંભળીને રાજકુમારી પણ આક્રોશપૂર્વક બેલી કે “ આપ ગુરૂએ મારા મંદબુદ્ધિ પણાના કારણથી અણસમજ દેખીને જે આક્રોશવાળા વચને વડે શિક્ષા આપી. તે તો મેં મસ્તકે ચઢાવી છે, કેમ કે તેમાં તે મારે જ દોષ છે, પરંતુ તમે જે મને “કાણી” એવું કલંક આપ્યું તે બોલવું આપ જેવાને Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy