SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૧ પલ્લવ સાતમે #BJÖRSS898238528GSSSSSSSSSSSSSSSSSS થવાથી તે બંદીવાન શેઠે ધનકર્માનું રૂપ ત્યજી દઈને તરતજ મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને સભામાં રહેલા સર્વના સાંભળતાં બે કે-“ સર્વે લેકે મારું કથન સાંભળે. ઘણા દિવસો પહેલાં અમારે ચારણને એક મેળે મળ્યું હતું. પિતપતાની વાચાળતા અને કૌશલ્યતા પ્રકટ કરવાના સમયે કોઈએ કહ્યું કે “આ બધાની કહેલી કળા ત્યારે જ સાચી મનાય, કે જયારે આમાંથી કઈ પણ ચારણુ અમિત (ઘણા) ધનવાળા ધનકર્માને ઘેર જઈને તેની પાસેથી એક દિવસને આપણી જ્ઞાતિસંમેલનમાં ચાલે તેટલા ભેજનનો ખચ મેળવે.’ આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી મેં પ્રતિજ્ઞા કરી કે જે ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભેજન થાય તેટલું ધન લાવું તેજ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારે ભાગ મારે લે, નહિ તે લે નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભેજનને ખર્ચ માગે, એટલે તે શેઠે કહ્યું- આજે સમય નથી, આવતી કાલે આપીશ.” વળી બીજે દિવસે હું ગમે ત્યારે કહ્યું કે કાલે આપીશ.” આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયે, પણ ઉત્તર તેજ મળ્યો કે- કાલે આપીશ.' આ પ્રમાણે મેં અનેક દિવસે સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞાષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા, ત્યારે મેં વિચાર કર્યો કે મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગુમાવી ! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાન ભંગ થાય, તે પછી જીવવું નકામું છે. આ પ્રમાણે વિચાર કરીને આ અતિશય કૃપણ પુરૂષન નહિ ભેગવાતી લક્ષ્મીને ભેગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી; ઘણા ઉપવાસ અને ઘણા કલેશ-દુઃખ મેં સહન કર્યા, ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવાનું વરદાન 340 Jain Education Inter For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy