SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ && ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ & સાતમો પલ્લવ & કહી રાખ્યું તેઓ લેકે આ વસ્તુઓ ઉપાડ શો નહિમાત્ર અંદર આ & કે-“આ બધી વાત તો ઉત્પાત જેવી છે, કોઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી, કાંઈક વધારે કે ઘટાડે હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. જે કામ હશે તે ફરીવાર પાછો આવીશ.” આ પ્રમાણે વિચાર કરીને દિવસ શેડો બાકી હતા તેવામાં તે રસ્તે પડ્યો. માર્ગે (વચ્ચે આવતા) કે ગામમાં તે સુતે, પણ રાત્રીમાં માનસિક ચિંતાના વેગથી તેને નિદ્રા આવી નહિ. દુઃખમાં-સંતાપમાં રાત્રી પસાર કરીને પ્રભાતે પિતાના ગામ તરફ ચા કપટી ધનકર્માને દૈવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ તેથી દ્વારપાળને તેણે કહી રાખ્યું કે-“અરે સેવકે ! હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની ધૂતકળા કેળવીને તેઓ લોકોને છેતરે છે. તેમાં વળી કેટલાક તે કઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી કમી વિગેરે સાર વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજે. કેઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને વારઅટકાવજે, પેસવા દેશે નહિ.” મધ્યાન્હ (બપેરે) લગભગ મુળ ધનકર્મા પિતાને ગામ આવ્યો અને લેકે એ નગરમાં પ્રવેશ કરતા તેને જોયો. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેને કહેવા લાગ્યા–“અરે ! આજે વળી ધનકમાં મુળ વેષ વિગેરે પહેરીને પગે ચાલતો ક્યાંથી આવે છે ?'” તે સાંભળીને બીજે બેલ્યો-“આ ધનકમાં નથી, ધનકર્માની જેવાજ રૂપવાળે કોઈ મુસાફર આવતે જણાય છે.” પેલાએ કહ્યું—“તું સાચું કહે છે! કારણ કે મેં આજે સવારે જ સુખાસન (પાલખી)માં બેઠેલા ઘણા સેવકથી પરિવૃત્ત (વિંટળાએલા) થયેલા ધનકર્માને આ રસ્તે જતાં જોયે છે.ત્યારે ત્રીજો બેધનકમાં તે આજ છે; કારણકે આને જોતાં જોતાં મારે આખે જન્મારો પૂરો થઈ ગયો. જે આ ધનકર્મા & 8888&& ૩૩૧ Jan Education International For Personal & Private Use Only ne brary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy