SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 安欧&&& ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે ૫૯લવ &&& 叫院院网网网织网网网网网网感水秘以忍松买团恩 કશે નહીં,” એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયે, બ્રાફ્રાણ પણ જિંદગીના દારદ્રયને (ગરબી) નાશ કરનાર અલંકારો દઈને ઉત્સાહ સહિત વાદને આશીર્વાદ આપી આગળ ચાલ્ય, માર્ગમાં જતાં તેણે વિચાર્યું કે- આગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકારે શી રીતે સચવાશે ? માટે નગરમાં જઈને આ ઘણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને હૂંડી લખાવી નિર્ભયપણે સુખેથી ઘેર જાઉં.' એમ વિચારીને તે ચાલે. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠો. ટામાં તેવા યોગ્ય છે માણસની શોધ કરતા તે આમ તેમ ફરતો હતો, તેવામાં દુકાને બેઠેલા પેલા સોનીએ તેને જોયે, અને વિચાર્યું કે- જેણે મને કુવામાંથી બહાર કાઢયે હતો તે જ આ બ્રાહમણુ જણાય છે. તેવામાં તેની ગાંઠે ઘરેણા જેવી ચીજને ભાર જોઈને તેણે વિચાર્યું કે-આ બ્રાહ્મણે દેશાટન કરતાં કાંઈક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે, તેથી જ તેને કાંઈ વેચવું હશે, તે મારૂ કામ થશે.” એમ વિચારીને તે સોની તરતજ દુકાન પરથી નીચે ઉતરીને બ્રાહ્મણ પાસે જઈ.. અહો આજે મારાં ભાગ્ય ઉઘડયાં. આજ મારે ઘેર અચિંતી અમૃત વૃષ્ટિ થઈ, આજ મારે આંગણે કામધેનુ ગાય પિતાની મેળે જ આવી, અને આજ મારા સર્વે મને રથો સફળ થયા, કે જેથી આજ તમારા દર્શન મને થયા.” એમ બોલતે તે સેની બ્રાહ્મણના પગમાં પડે. ક્ષણવારે ઉઠીને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે- સ્વામી ! મારે ઘેર પધારે, આપના પગલા કરીને મારું ઘર પવિત્ર કરે.’ એ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક કહીને તેને પિતાને ઘેર લઈ ગયે, મુગ્ધ (ભેળ) બ્રાદાણુ તેના ચાટ (મીઠા) વચને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યું કે- આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે, મારા કરેલા ઉપકારને ભૂલી ગયે નથી, તેથી ખાનદાન કુળને જણાય છે. આની પાસે મારે શા માટે &欧欧欧欧底冬医 Jain Education Intema For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy