SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે પલવા ઇઓ છે, તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે કે જેથી તું નિઃશંકપણે મને નિમંત્રણ કરે છે? ” ત્યારે તે વહુ બોલી કે-“હે માજી? હું મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બેલી ત્યારે તેમની આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ ?” વહુ બલી-“હે માજી ! આ ઘરમાં મારા સાસુ સસરા, જેઠ જેઠાણી અને દીયર દેરાણી છે તે સર્વે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું કે-“જો એમ હોય તે તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રથી રાખે, તે જ હું અહીં રહે, નહીં તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જ્યાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું યોગ્ય નથી.” વહુ બેલી કે-જે તેઓ સવ આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેશો કે નહીં ? બીજી કોઈ ઈચ્છા છે? ” ત્યારે વૃદ્ધા બેલી કે-“બસ, એટલું જ જોઈએ.” તરતજ વહુ ચાલી, અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને સાંભળતી હતી ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું કે-આપ જલદી ઘરમાં આવશે. ત્યારે સાસુએ શ્રવણભંગના શ્રેષથી કહ્યું કે- “હે મૂખી ! કેમ ફેકટ વાચાળ વાણીથી અમૃતસ્ત્રાવી (જરતી) વાણીને શ્રવણમાં વિઘ્ન કરે છે ? વિધાતાએ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે. આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બુમ પાડીને વિન કરે છે, તેથી તેના પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બેલી કે-“હે પૂજ્ય ! એક વૃદ્ધ માતા તમારા અગણ્યસમૂડના ઉદયવડે એચિંતા અને અણુબેલાવ્યા લહમીની જેમ આવ્યા છે.” તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપ્યો કે-“હે જડબુદ્ધિવાળી ! આ ગામમાં આપણાથી કઈ મોટું છે કે જેને તું સરસવને મેરૂની ઉપમા Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy