SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ' સાતમો પલ્લવ વિલાસ હવે જોઈએ છીએ. તેમાં કેણુ હારે છે, તે પણ જોવાનું છે.” આ પ્રમાણે વિચારીને હંમેશા તે શેઠને ઘેર આવી આશિર્વાદ આપવા લાગ્યું અને ભેજનની યાચના કરવા લાગ્યું. તે શેઠ પણ પહેલે દિવસે જે વચનવડે ઉત્તર આપે હતું તેજ વચનવડે હંમેશા ઉત્તર આપતે, ત્યારે ચારણે એક વખતે પૂછયું કે- કાલ કયારે થશે?” ધનકર્માએ જવાબ આપ્યો-“હમણું તે આજ વર્તે છે. કાલની કોને ખબર છે ? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન (રજા) કર્યો. આ પ્રમાણે હંમેશા કરતાં ઘણાં દીવસો વીતી ગયા, પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ચારણ આંટા ખાઈ ખાઈને થાકયો, અને આશાભમ થવાથી વિચારવા લાગ્ય-આ કૃપણુ અને લેભીએ કેઈ ઉપાયવડે ખર્ચ કરતો નથી. પણ હવે કોઈ પણ જાતના પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરવો છે; પાણીને ડોલ (રંટ) હલાવ્યા વગર અગર તે પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાણી કુવામાંથી બહાર કાઢી શકાય છે? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરવી.” વક્ર બુદ્ધિવાળા હોય તે પરાણે પુણ્ય કરે છે અને સદાચાર સેવે છે. ધનુષ્યને જે ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે, નહિ તે સીધું થતું નથી, કપણ પુરૂષોમાં અગ્રેસર એ આ શેઠ દેવતાની સહાય વિના આધીનમાં લઈ શકાશે નહિ. તેથી વાંકે લાકડે વાંકે હ’ એવી જે લેકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારૂં પબુસરત-હેડ સાચવવા માટે કોઈ પણ ઉપાયવડે આ કૃપણની લમીને આધીન કરીને તેને દાન અને ભેગમાં વ્યય કરવાવડે મારે કૃતકૃત્ય થાવું; માટે હવે તે પ્રતારણી વિદ્યા સાધીને હું ઇચ્છિત કાર્ય કરીશ.” આ પ્રમાણે કેટયાધિ પતિના ધનના વ્યયની ઈચ્છા રાખતે તે માગધ ચંડિકા દેવીને મંદિરે ગયે. તે શક્તિદેવીને નમસ્કાર કરીને RSE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy