SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચાવ ભાગ ૧ પ્રથમ પલવ Jain Education I 好好好 સૂર્યાદિ ક્રે છે, જો કે મેરૂ પર્વત તેમને કશું આપતો નથી.’ પછી ખુશી ખબર પૂછી શેઠે બ્રાહ્મણને આવવાનુ કારણ પૂછતાં બ્રાહ્મણે કહ્યું કે—અગાઉ મે’ તમને પૈસા ધીર્યાં છે, હમણાં મારે તેનું કામ પડયું છે માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પૈસા વ્યાજ સાથે આપે’. શેઠે કહ્યું કે- બહુ સારૂ` ' લેખું' કરીને વ્યાજ સાથે તમારૂ સ ધન ખુશીથી લઇ જાઓ,' આ પ્રમાણે કહી લેખું કરનારા પોતાના મુનિમને ખેલાવીને કહ્યું કે આ મહારાજને તેમના ધનનુ' લેખું કરી વ્યાજ સાથે તેમના રૂપિયા દઇ દ્યો. એમને હિસાબ બરાબર કરી આપશે। કોડીની પણ ભૂલ થવા ન દેશે, કારણ કે આ બ્રાહ્મણને હું દેવા ચેાગ્ય છું, લેવા ચગ્ય નથી,' પછી મુનિમે ચાખ્ખી રીતે લેખું' કરીને તે બ્રાહ્મણને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂકયુ. અને બ્રાહ્મણે તે લીધું. પછી શેઠે કધુ કે મહારાજ, હવે તે પાછલે દિવસ પણ સહેજસાજજ બાકી રહ્યો છે. તમારૂ ઘર દૂર છે અને ધન લઈને પહોંચતાં રાત પડી જશે. રાતના વખતે ધન સાથે લઇને જવું એ ચામ્ય નથી. માટે રાત તે અહિં જ રહે। સવાર થતાં આપ સુખેથી સીધાવજો, હાલ તા ઇચ્છાનુસાર ભાજનની સામગ્રીને સ્વીકાર કરો અને અમારા ઘર નજીકના બગીચામાં જઈ રસેઈ કરીને અમને પાવન કરો.' શેઠની વાત સાંભળી બ્રાહ્મણ મનમાં રાજી થયે કે-ચાલા, ધન પણ મળ્યું અને ઇચ્છાનુસાર ભોજન પણ પ્રાપ્ત થયું.' હવે સેવકો બ્રાહ્મણને બગીચામાં લઇ ગયા અને ત્યાં તેની ઇચ્છાથી પણ અધિક લેટ, ઘી, સાકર, દાળ, ચાખા, દુધ વિગેરે સ સામગ્રી તૈયાર કરીને આપી. બ્રાહ્મણ નાહી-ધોઇ ભાજન તૈયાર કરતા વિચાર કરવા લાગ્યા કે –મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી, આ પ્રમાણે વગર વિચાર્યા ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ ત ગરાબ થઇ જવાના, માટે મેં જે કર્યું તે સારૂ' કર્યુ છે. ' આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રસાઈ For Personal & Private Use Only PROTOCOL E888888± ૧૭ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy