SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે પલવ BEEG EE%ESSAYBOXYGEN OX XXXXX ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ પાસે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. રાજ્યસભામાં જઈને પિતપેતાના દુઃખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. પણ ન્યાયમાં ચતુર એવા મંત્રી એવડે પણ તેમને કલેશ સમાવી શકાય નહિ, ત્યારે રાજાએ વિચાર્યું કે “ આ કજીએ કોઈથી ભંગાતો નથી, પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ કંકાશ ફેડી શકશે.” એમ વિચારીને ધન્યકુમારને તે માટે વિચાર કરવા બોલાવ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી બેલ્યા કે-“ અરે ભાઈઓ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગજ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામો કજીઓ કરે છે. બાપનું હેત તે સર્વે પુત્રો ઉપર સમાનજ હોય છે, કઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેંચેલા છે તેનું હાર્દ–ગુઢાશય સાંભળે, જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તે વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ ખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે તે કામે સેપેલા છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે. એટલે જે ભાઈને ચોપડા શાહી વિગેરે આપેલા છે તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે, કારણકે તે ક્રિયામાં મોટે ભાઈજ કુશળ છે. આ પહેલા મોટા ભાઈને વિભાગ થય. ધૂળ-માટી-રેતી વિગેરે જેના કળશમાંથી નીકળ્યું તેને એટલે તેવા વ્યાપારમાં કુશળ એવા બીજા ભાઈને માટીના સંકેત દ્વારા ધાન્યના કેડાર તથા ખેતરે વિગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાખેલ દ્રવ્ય ભાગની સરખું જ હોવું જોઈએ. આ પ્રમાણે બીજાને વિભાગ Jan Education International For Personal & Private Use Only wwwn ary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy