SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમા૨/ ચરિત્ર. ભાગ ૧ 36889818 TRES આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા રજા લઈને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીએ સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે લક્ષ્મીપુર નામના નગર પાસે તેઓ આવ્યા. સાતમો પલવા SLIDE તે નગરમાં સર્વે ક્ષત્રિયને વિષે શિરેમણિ રાજગુણથી શોભતે જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતું. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાને ત્યાગ કરી શત્રુઓને જીતવામાં તત્પર હતા, તેથી તેના શત્રુઓ ક્ષમા (પૃથ્વી) ને ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. એક દિવસે તે કુંવરી વસંતેત્સવની ક્રીડા કરવા માટે સખીઓના ટોળાથી પરવારી છતી ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હિંચકવાવડે, જળક્રીડા કરવાવડે, પુષ્પ એકઠા કરવાવડે તથા દડાઓ ઉછાળવાવડે ક્રીડાએ કરીને ત્યાર પછી યુવાનના મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મને એવું મધુર ગીતગાવાનો તેણે આરંભ કર્યો. જેવી રીતે અદ્ભુત એવા હાવભાવ, વિભ્રમ, તથા કટાક્ષેથી કામી દૃષ્ટિવાળા મનુષ્ય રૂપવાન સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તેવી જ રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણ તથા હરિણીએ કણે દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે કુરંગાક્ષી ગીતકળાએ કૌતુકથી એક હરિણીના ગળામાં પિતાને ઉત્તમ એ સાત સરવાળે હાર પહેરાવી દીધું. તે કુરંગી હરિણી તે ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુંવરી પણુ ગીતગાન બંધ કરીને પિતાના મહેલમાં આવી; પછી તેણીએ પિતાના પિતાને કહ્યું કે DAE%8E%888X2838 Eduan International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy