SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર IA ચરિત્ર ભાગ ૧ છો પલ્લવ વિચાર કરીને સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમારને ઘેર ગયા, અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા આખરે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા કે–“સ્વામિન્ ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારને પ્રસાર (ફેલા) રહેતું નથી અને કદિ રહેશે પણ નહિ; મોટા સમુદ્રમાંથી કઈ વખત ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કેઈદિવસ ઉણુતા કરનાર થયું નથી અને કોઈ વખત થશે પણ નહિ, તેવીજ રીતે તમારામાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જેવાશે પણ નહિ એ અમને આબાળ વૃદ્ધ સર્વને પ્રતીતિ (વિશ્વાસ) છે. કદાચ કોઈ વખત સૂર્ય પશ્ચિમમાં ઉગે; ધ્રુવને તારો યુગાંતે પ્રેરેલા પવનથી કદાચ અપ્રુવ થાય, અચળ એ મેરૂ પણ કદાચિત્ પવનની જેમ ચળાયમાન થાય, કદાચ સમુદ્ર પણ મારવાડની જેમ નિર્જળ થઈ જાય, હંમેશા ચણિત એ વાયુ પણ કદાચ સ્થિર થઈ જાય, કદાચ પૃથ્વી ઉપર અગ્નિ પણ ઉષ્ણુતા ગુણ છોડી બરફની જે શીતળ થઈ જાય તો પણ આપ આયુષ્માન મહારાજા લેભના વિક્ષેભથી પણ ચળાયમાન થાઓજ નહિ એ અમને સર્વને તમારે માટે દઢ નિશ્ચય વિશ્વાસ છે. આમ છતાં પણ આ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે પિકાર કરતો આવ્યો કે—મારી પુત્રવધૂને રાજાએ રાકી છે. આ પ્રમાણે તેની વાણી સાંભળીને અસ કેઈએ પણ તે માની નથી પરંતુ દુઃખાત એવા આ વૃદ્ધ પુરૂષનું દુ:ખ જોઈને અમને સર્વને લેભ થયો કે અમારા સ્વામી કપાંતે પણ આવું કરેજ નહિ, પણ આપના કેઈ સેવક પુરૂષે આપના જાણતાં અગર તે અજાણતાંજ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે; તેથી હે સ્વામિન્ ! ધનસારના આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy