SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છો પહેલવ ચંદ્રવડે રાત્રી શોભે તેમ તે ગૃહસ્વામીની શોભવા લાગી. હવે ઘણે વખત થયો તે પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પિતાની પત્ની સાથે વિચારવા લાગ્યા કે—“કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કઈ સ્થળે કાતી નથી. આજે શું કારણ બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાને ઘેર એક ક્ષણમાત્ર પણ રહેતી નથી, વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષતુલ્ય શ્રી ધન્યમહારાજા (રાજા) પ્રાણ જાય તે પણ ધર્મની નીતિને ઉલંઘે તેવા નથી. સુવર્ણમાં શ્યામતા કોઈ દિવસ આવતી જ નથી. અથવા તે ધનવંત માણસોની મનોવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલંધવી મુશ્કેલ છે. નિપુણ પુરૂષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે, સજજન પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે—કામચંડાળ બહુ નિર્દય છે, તે પંડિતેને પણ અતિશય પીડા કરે છે” વળી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હોય, તે પણ સુભદ્રા મહાસતી છે, તે કઈ દિવસ શિયળત્રત છોડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે? કદાચ બળાત્કારથી રેકી રાખી હોય અથવા તે બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય ! ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલા વજના છેડાની માફક કાંઈક પણ વિપરીત તે બન્યું લાગે છે !'' આ પ્રમાણે શંકારૂપી શકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ઠીએ જે પુત્રની વહુને કહ્યું કે—“વસે ! તું ધન્યરાજને ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રા કોનાથી અંતરિત For Personal & Private Use Only Jain Education International wainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy