SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પલવ પૂછીશ.” આ પ્રમાણે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી, વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી, પોતે પણ નજીકના આસન ઉપર બેઠી. પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછ્યું કે “બહેન ! હું અને તું હવે હેનપણી થયા. જ્યારે બહેનપણ થાય છે, ત્યાર પછી પરસ્પરમાં અંતર રહેતું નથી. કહ્યું છે કે : ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति । भुक्ते भोजयते चैव, पइविधं प्रीतिलक्षणं ॥ દેવું, લેવું, ગુપ્ત કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું-“આ છ પ્રીતિના લક્ષણે છે. તેથી જે તારી મારી ઉપર નિર્મળ અંતઃકરણવાળી પ્રીતિ હેય તે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે શું સ્ફટિક જેવી ચોખી ભીંત પિતાનાં અંતરમાં રહેલી વસ્તુને કેઈપણ વખત છુપાવી શકે છે?' આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બેલી કે-“બહેન મને શું પૂછે છે? મારા દુર્દેવને જ પૂછ, કર્મના ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સયું” ! ઉલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તું પણ દુઃખી થઈશ; તેથી તે વાત નજ કહેવી તે ઉત્તમ છે.” આ ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું કે-“સખી ! હેન! તું કહે છે તે વાત ખરી છે, પણ જે વાત કોઈની પાસે કહેવાતી નથી, તે પ્રીતિપાત્ર પાસે તે કહી શકાય છે. વળી હું જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા (હદ) સુધીનું દુઃખ સહન કરેલું છે, તેથી જેવું બન્યું હોય તેવું કહે.” આ રીતે સૌભાગ્યમંજરીને આગ્રહ ABBASOBRUSLANDIRIZ DESARRU988 ૨૧૮ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy