SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છઠો ૫૯લવ લિ ઈશી* તેમને અહો! આ મારા માબાપ, આ ભાઈઓ, આ ભાભીએ, આ મારી પત્ની. આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. અહો! કેવી અસંભવ્ય. ન કલ્પી શકાય તેવી દશા નશીબે તેમને પ્રાપ્ત કરાવી છે? આ શાલિભદ્રની બહેન પણ મટી વહુન કરે છે ! અથવા તે કર્મની ગતિ વિચિત્ર છે ! આ સર્વાનું વચન કોઈ દિવસ મિથ્યા થતું નથી. અનેક રાજાઓના સમૂહોએ જેનાં ચરણકમળની ઉપાસના કરી હતી તેવા રાજર્ષિ હરિશ્ચંદ્રને પણ ચંડાળને ઘેર પાણી ભરવું પડયું હતું ! તથા સતિઓને વિષે અગ્રેસર નળપત્ની દમયંતીને પણ અતિ દુઃખિની થઈ યૌવનાવસ્થામાં ઘેરવનમાં એકલા કાળ ગુમાવ પડ્યો હતો? જગતમાં ભેગવ્યા વગર કેઈથી કમ ખપાવાતું જ નથી ! જે કઈ જિનેશ્વર ભગવંત તથા તેવાજ અતુલ બળ, વીર્ય, ઉત્સાહ યુક્ત થયા તેઓએ નવાં કર્મ ન બાંધ્યા, પણ પૂર્વે બાંધેલાં કમેં તે તે સર્વને પણ ભોગવીનેજ ખપાવવા પડયા ! જયારે વિધિ વાંક હોય ત્યારે કેણુ સુખી થાય છે? ચક્રવતીના મુગટ ઉપરથી પડી ગયેલું અને ધૂળથી ઢંકાઈ ગયેલું, જેની એળખાણુ નાશ પામી ગઈ હોય તેવું રત્ન દેવાધિષ્ઠિત હોય છતાં પણ મનુષ્યોના પગની નીચે આવા વિગેરે અનેક પ્રકારની વિપત્તિઓ સહન કરે છે. તે પછી રાગાદિક દોષના પ્રબળ ઉદયના વિવશપણાથી મનુષ્યને અતિશય વિપત્તિઓ ભેગવવી પડે તેમાં શું નવાઈ ! આ કમ ભેગવવામાં કાયરપણું કરવા જેવું નથી, કારણ કે કાયરપણે સડન કરવાથી ઉલટી અશુભ કર્મોની વૃદ્ધિ થાય છે. શુભ કર્મોનું અશુભ કર્મોમાં સંક્રમણ થાય છે. શુભ કમોના રસની હાનિ થાય છે. તેથી ચિત્તમાં વ્યાકુળતા લાવ્યા વગર સમભાવથી જે વિપત્તિઓ આવે તે સહન કરવી. કારણ કે કેમ તે જડ છે, તેથી તેને બીલકુલ Ros Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy