SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પાંચમા પલવ Jain Education International ન કરી ચૈત્યવંદન કરવા ખેડી. તે વખતે અભયકુમાર પણ જિનેશ્ર્વરના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યો. મંદિરમ પ્રવેશ કરીને તેણે જોયુ. વૈરાગ્ય અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવ ́તની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈ, અને પ્રીતિપૂર્ણાંક તેનાથી કરાતી સ્તુતિ તે સાંભળવા લાગ્યા તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગ્યા કે—કાઇ પણ અન્ય ખીન્દ્ર ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાંજ વાસિત અંતઃકરણવાળી અને ભકિતના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળી આ પ્રિય સ્વ`ણી હાલમાંજ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્રતુલ્ય આ સ્વધર્મ ણીનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે કારણ કે આ ઉત્તમ સ્વધમિણી જણાય છે.' આ પ્રમાણે મનમાં નિણૅય કરી દેરાસર બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચીત કરવા લાગ્યા. અભયકુમારે કહ્યું કે—હે મહેન ! સ્વધર્મી ગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે ?”” આ પ્રમાણેના પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી તેણે દ‘ભરચનાવડે કહ્યું કે—હૈ ધબંધો ! લેાકના ઉદર–(પેટ) રૂપી પુરમાં ભવ ભ્રમણુરૂપી ચતુષ્પથમાં મનુજ ગતિરૂપી પોળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સ્પનાના યાગથી અત્રે આવેલી છું.” તેનુ કપટકળાયુકત આવું જૈનધર્મ વાસિત વાકય સાંભળી અભયકુમારે ફરી પૂછ્યું કે—“ગિનિ ! હે ધર્મ વ્હેન ! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંતઃકરણવાળા મનુષ્યેાની આવીજ ભાષા ક્રાય છે. તમે કહેલ જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડેજ મને તે તમારી પરીક્ષા થઇ ગઇ છે કે--તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે.’ પરંતુ વ્યવહાર નયની રીત્યનુસાર હું તમને પૂ છું કે તમે કયે ગામથી અત્રે આવ્યા છે? કયે સ્થળેથી તમારૂ અહિં આગમન થયેલું છે ?’ આ પ્રમાણેની For Personal & Private Use Only ૧૬૭ www.jainlibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy