SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ-૧ અને ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી કરેલી ખાઈના પાણીનું શોષણ અને પિષણ કરે છે વળી બધા પ્રકારની લક્ષ્મીના સમુહથી ભરેલા અને તેના વડે શેલતા મણીમય ઉંચા પ્રાસાદેએ વિમાનોમાંથી બધે સાર (લક્ષ્મીરૂપી) હરણ કરી લેવાથી લઘુતા (નાનાપણુ) પામી જવાને લીધે વાયુએ બધા વિમાનને આકાશમાં જાણે કે ઉડાડી દીધા ન હોય તેવા ઉત્તમ પ્રાસાદથી તે રાજગૃહી નગરી શોભી રહી છે. વળી તે નગરીમાં રત્ન મય ગૃહાંગણમાં અને ઉત્તમ રત્નવાળા તેરમાં પ્રતિબિત થયેલા મેરોને કીડામે જાણી ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુબેના નખ ભાંગવાથી તેઓ વિલખા થઈ જતા હતા. પલ્લવ પાંચમે અને પિતાના મુગ્ધપણાને માટે શોચ કરતા હતા, આ રાજગૃહી નગરીનું સમસ્ત વર્ણન કરવાને કઈ ડાહ્યો અને બુદ્ધિમાન મનુષ્ય પણ સમર્થ થઈ શકે તેમ નથી, આ નગરી એવી ઉત્તમ છે કે જેની ત્રણ જગતના નાથ શ્રીવર્ધમાનસ્વામી પણ પિતાના ચરણ કમળવડે પૂજા કરતા હતા. વળી જે નગરીમાં ઘરની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણી કિંકિણીના નાદથી તે ઘરો પણ વિદેશીઓને પૂછતા હતા. કે, “શું સમસ્ત પૃથ્વીતળમાં અમારા જેવી સુંદર નગરી તમે કઈ જગ્યાએ જોઈ છે? સર્વ ઉત્તમ નગરીના ગુણેથી આ રાજગૃહી યુકત હોવાથી આ સર્વ ઉત્યેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલા છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ ગ્યજ છે. તેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં B8%823888888888888888888888 ૧૫૪ Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy