SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર | ભાગ ૧ થઈ છે. જો તને તારા જ્ઞાનથી એમ લાગતું હોય કે તારા ત્યાં જવાથી તેને લાભ થશે તો ત્યાં જઈ Iિ બોધ આપી તેને ધર્મ પ્રાપ્ત કરાવે છે જેથી તે આરાધક બને.” સુનન્દાએ ગુરૂણીની આજ્ઞા મેળવી ચાર સાધ્વી સાથે ત્યાંથી વિહાર કર્યો, અનુક્રમે તે સુગ્રામ ગામે ગયા અને ગૃહસ્થ પાસેથી વસવા યોગ્ય સ્થાન મેળવી ત્યાં ચોમાસું કર્યું. હંમેશા ભાવિક શ્રાવિકાઓને બોધ પમાડી વૃદ્ધિ કરવા લાગ્યા. ચોથે પલ્લવ BESSESSSSSSSSSSSSSSSSSSSSGSSSSSSSS8 GSE તે ગામ પાસેના પર્વતના વનની ગુફામાં તે રૂપસેનને જીવ હાથીપણે ઉત્પન્ન થઈને રહેતે હતે. તે જ્યારે ભમતે ભમતે ગામની સીમા પાસે આવતે ત્યારે આસપાસના લોકોને હેરાન કરતે, પાછળ દોડતો, કેટલાક લેકે ઝાડે ચડી જતા, કેટલાંક નાસીને ગામમાં પેસી જતા, કેટલાક બીજું કાંઈ ન મળતા તેની દષ્ટિ ચુકાવી ઝાડ અથવા જાળામાં ભરાઈ જઈ અદશ્ય થતા હતા. તેમ છતાં તેના ઝપાટામાં કેઈ આવી ચડતું તે તેને સુંઢવડે ઉપાડીને તે આકાશમાં ઉછાળતે. પછી આયુષ્યબળના પ્રમાણમાં કેઈક જીવતા રહેતા અને કોઈક મૃત્યુ પામતા, કોઈકને માથાથી ઉપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતે. કેઈકને જળી (જીણું) ગયેલ કપડાની માફક ચીરી નાખત. આ પ્રમાણે લોકોને હેરાન કરીને તે વનની ગુફામાં પાછો ચાલ્યો જતો. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પોતે પાછો ફરે ત્યાં સુધી રહ્યાજ કરતુ. તે નગરમાં બધા લકે હાથીના ભયથી ત્રાસ પામેલાજ રહેતા હતા. એકવાર સુનન્દા સાર્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે—કાલે સવા ના હાથી ગામની સીમા પાસે આવવાનું છે.” એટલે સવારની સર્વ ક્રિયા કરી ધંડિત જવાને બહાને એક સાધ્વી સાથે તે ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે ગામમાં દરવાજા પાસે આવ્યા એટલામાં ત્રાસ પામેલા, ભયથી કંપતા, Jain Education International For Personal & Private Use Only in w .ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy