SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧| ચોથા પલવ સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રસેયાને હુકમ કર્યો કે–આનું માંસ બરાબર પકાવો, સુંદર સુંદર મસાલા ભેળવી તેને સ્વાદિષ્ટ બનાવજે.” સેવકે એ રાજાની આજ્ઞાનુસાર સુદર મસાલાઓમાં મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને મૂકયું. એટલે બધાને યેગ્યતા પ્રમાણે વહેંચી આપી રાજા રાણી અને તે ખાવા લાગ્યા, અને તેને સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રસંશા કરવા લાગ્યા કે-“આ સ્વાદિષ્ટ નીકળ્યું. આગળ બહુ વાર માંસ ખાધું હતું પણ આની આગળ તે રદ (તુચ્છ) છે. આ સમયે તેમના ભાગ્યયોગે ત્યાં આગળ બે મુનિએ આવી ચડયા. માર્ગે ચાલ્યા જતાં આ અયોગ્ય દશ્ય જોઈ એક મુનિએ જ્ઞાનના ઉપયોગથી આગળ બની ગયેલ બનાવ જાણી લઈ બીજા મુનિને કહ્યું કે નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તે જુઓ. આ હરણ (રૂપાસેનને જીવ) કેવળ મનના વિચારે તથા કપનાઓથીજ કમબંધ કરી મન, વચન તથા કાયાના યોગથી હેરાન હેરાન થઈ ભવભવ રખડવા છતાં પિતાના કર્મની નિર્જરા કર્યા સિવાય અકાળે મરણ પામ્યો છે. જે સ્ત્રી માટે તે બિચારો ભભવ વર્ણવી ન શકાય તેવા દુઃખે ન કરે છે, તેજ સ્ત્રી હર્ષથી તેનું માંસ ખાય છે. અસાર સંસારના આવા સંગે તથા બંધનને ધિક્કાર છે, ' આમ બેલી માથું ધુણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ સર્વ બનાવ બારણા પાસે બેઠેલા દંપતિએ જોયે. તે જોઈને રાજાએ મુનિને બોલાવીને પૂછયું કે—“ હે મુનિ ! તમે માથું ધુણાવ્યું તે અમને માંસ ખાતા જોઈ દુગછા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરો ? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરાની પ્રવૃત્તિ છે. તમારા જેવા મોટા માણસે કંઈ નિમિત્ત સિવાય માથું ધુણાવે અથવા નિંદા કરે તે બનવા યોગ્ય નથી. માટે હું Jan Education Interational For Personal & Private Use Only www.jane brary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy