SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથા પલ્લવ 8888$> 88387383 Jain Education International દેખાય, કેમકે તમે રાજાની પટરાણી છે, તેમજ બધી સીએમાં શ્રેષ્ઠ ગણા છે, તેથી તમારા ગયા વિના દેવતા રાજી નહિ થાય. કઢાચ તેમ થવાથી દેવને ભારે કોપ થતા વિગ્ન પણ આવી પડે, માટે દાસદાસીએ સાથે તમે તે જરૂર જાએ અને સારી રીતે મહાત્સવ કરોઃ જો એ ચાર ઘડીમાં માથુ' ઉતરી જશે તે હુ પણ જરૂર આવીશ, મારી એ સખીએનેજ અહિં રહેવા દઈ બાકીના બધાને લઇને જજો. મારી ચિતા ન કર, કારણ કે આવી રીતે માથું તે મને ઘણીવાર ચડી આવે છે અને એકાદ દિવસ રહીને પાછુ ઉતરી જાય છે. માટે માંરી ચિંતા ન કરતાં હર્ષથી ઈચ્છાનુસાર મહાત્સવ મ્હાણજો.' આમ કહી તેણે માતાને મેાકલી દીધી એ દાસીએ સિવાય અન્ય સર્વે દાસદાસીએ પણ પટરાણી સાથે ગયાં. સ`કેત સમય પાસે આવતાં સુનન્દાએ બારીમાંથી એક મજબૂત દોરડા વાળી નીસરણી મૂકાવી. સખી ક્ષણે ક્ષણે રૂપસેન આવ્યા છે કે નહિ તે જોતી સુનન્દાની શય્યા તથા ખારીની વચ્ચે ભમવા લાગી. આ સમયે તે શહેરમાં મહાબલ નામના એક મોટો જુગારી રહેતા હતા. તે હંમેશા જુગારમાંજ પોતાના સમય વીતાવતા હતા. એક દિવસ ઘુતના રસમાં ને રસમાં. એટલું ધન હારી ગયા કે તેને માથે ભારે દેવું થયું'. ખીજા રમનારાએ ( જુગારીઆ ) તેને પૈસા માટે મુ ઝવવા લાગ્યા. મહાબલે વિચાર કર્યો કે આજ તેા બહુ દેવું થઈ ગયું છે, એટલે હવેતે આપવું કયાંથી ? પણ વાંધો નહિ; આજ લાગ બહુ સરસ છે, આજ બાળકથી માંડીને વૃદ્ધ પ'તસવે મહેાત્સવ માટે બહાર જશે, આખા શહેરમાં કાઈ રહેશે નહિ. અડધી રાતે હું ગામમાં પ્રવેશ કરી, કોઈ પૈસાદાર માણસના ઘરમાં કે દુઢ્ઢાનમાં દાખલ થઇ બીજી ચાવીએથી તાળાંઉઘાડી ધનચારી લઈને મારૂ ́ દેવુ‘ પતાવી દઇશ. આ સિવાય બીજે કાઈ ઉપાય નથી.’ આમ વિચારી તે ચાર પૈસા માટે રાતના ચૌટા અને શેરીઓમાં For Personal & Private Use Only ALUATIO ૧૧૪ *www.jainlibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy