SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથા પલ્લવ તેણીને ખરેખર જ મારા ઉપર એ પ્રેમ છે, તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રીતિ રાખવી જોઈએ. જેટલી તેણીની આતુરતા છે, તેટલીજ મારી પણ છે તેમ સમજજો. આજથી હંમેશા છેવટે એકવાર તે જરૂર અહીં આવી જઈને હુ દષ્ટિ મેળાપ કરીશ.” આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે તે દાસીને કેલ આપે. સખીએ કુમારનું વચન લઈને સુન્ધા પાસે જઈ સવ બીના કહી બતાવી. તે સાંભળી સુનન્દા હર્ષ સાગરમાં ડોલવા લાગી તે દિવસથી કુમાર હમેશા ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગે; સુનન્દા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તીણ બનાવેલા કટાક્ષરૂપી તીરેથી કુમારના કમળ જેવા કેમળ શરીરને વ્યથા ઉપજાવવા લાગી. તે પણ મહુથી આમાં જ સર્વ સુખ સમાયેલું છે તેમ માનતે ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સમરણ કરતે દિવસે પસાર કરવા લાગ્યો. થોડા દિવસ ગયા પછી કૌમુદિ મહોત્સવનો દિવસ આવી પહોંચતાં રાજાએ આખા નગરમાં ઢોલ ટીપા કે “હે લેકો ! અમુક દિવસે શરદૂપુનમને મહોત્સવ છે. તે દિવસે જેના શરીરમાં દુઃખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હોય તેવા સર્વ લોકોએ નગરની બહાર દરેક વર્ષે જે જગ્યાએ મહોત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાને દ્રોડ કરનાર ગણાશે, આ પ્રમાણે દાંડી પીટતી સાંભળી નગરવાસીજન મહોત્સવની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. સુનન્દા પણ પિતાના માણસ પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી કે-“અહો ! મારે મનોરથ સફળ કરવાનો દિવસ પણ આવી ગયો ખરે. જે તે દિવસે મારી વલ્લભ સાથે મારે સંયોગ થાય તે કેવું સારૂ? પછી સખીને કહેવા લાગી કે-“ગમે તેમ કરીને રૂપસેન પાસે જઈ મહોત્સવની વાત કરીને મેળાપને અમય આ પ્રમાણે જણાવી આવ કે–તે દિવસે રાત્રિના કોઈ પણ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy