SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચાયા પલ્લવ Jain Education Internado મારૂં કહ્યું ભલે મારા મેઢામાં રહ્યું હવે કૃપા કરીને દાઝથા ઉપર ડામ ન દે. હવે તે કોઇપણ ઉપાયે મારે મનેરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે. 'સખી—સ્વામિની ! મારામાં એટલી કુશળતા છે કે તારા મનારથ હમણાં જ પૂરા કરૂ, પરંતુ પહેલાંથી જ તેજ પુરૂષાને નિષેધ કરીને પૂર્ણ કરવામાં આડખીલી કરી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની સાથે પરિચય કરીને પછી તારા મનેારથ પૂર્ણ થાય તેમ કરીશ. પ્રથમ દૃષ્ટિમિલન તે પ્રેમલત્તાના બીજ જેવુ` છે, તેને અરસપરસના દર્શીન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારો આશય જણાવે તેવી એક લીટી કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ તેના હાથમાં આપીશ. પછી જો, તે ચતુર નહીં હોય તે પછી મૂખ સાથે સંગમાં શું લાભ ? શાસ્ત્રમાં કહ્યું છે કે—મૂખની સાથે આખી જિંદગી ગાળવી તેના કરતાં સજ્જનને એક ઘડી માત્રજ મળવુ તે પણ વધારે ફાયદાકારક છે. ” પછી સુનન્દાએ એક કાગળમાં પેાતાના આશય જણાવતી કવિતાની એક લીટી લખીને સખીને આપી. સખીએ કાંઈક મ્હાનું કાઢી રૂપસેન પાસે જઈ તેને તે ચીડી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી તેમાં લખ્યું હતું કે— निरर्थकं जन्म गतं नलिन्यायया न दृष्टं तुहिनांशुविम् । " ' જેણે ચંદ્ર નથી જોયા તેવી કમલિનીના અવતાર નિરર્થીક ગયા. ' આ લેાકાધ વાંચીને પોતાની ચતુરાઈ દેખાડવા તેણે તેને ઉત્તર તેની નીચે લખીને તે ચીઠ્ઠી પાછી આપી. સખીએ તે ચીઠી ઘરે આવી. સુનન્દાને આપી. તેણીએ વાંચ્યું કે— For Personal & Private Use Only 98980990438 ૧૧૦ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy