SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ . વ્યા.૩ 菜菜味鮮味味劑 ૪. જો પગ * એક વખતે દેવતાના પ્રમાદથી ઝેરનું સંહરણ કરવું રહી ગયું, એટલે રાજર્ષિએ ઝેરવાળા દહીંનું ભક્ષણ કર્યું; તેથી ઝેરની અસર શરીરમાં વ્યાપી ગઈ, આ જાણી રાજર્ષિએ અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસ અનશન પાળ્યા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને આયુષ્ય પૂરૂ થતાં ઉદયન રાજર્ષિ માક્ષે ગયા, તે પછી પેલા દેવતાએ ક્રોધ કરીને વીતભયનગરને રજની વૃષ્ટિવડે ભરી દીધું. અહીં પિતાએ વ્રત લીધા પછી તેના પુત્ર અભિચિએ ચિંતવ્યું કે–‘ અહા ! મારા પિતાએ મને મૂકીને પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, તેથી પિતાના એવા અવિવેકને ધિકકાર છે. આમ વિચારી કેશીની સેવા કરવી તજી દઈને પિતાએ કરેલા અપમાનથી કંટાળી અભિચિ કાણિક રાજા પાસે આવ્યા. પ્રભુશ્રી મહાવીરની દેશનાથી પ્રતિાધ પામી શ્રાવકધર્મ પાળવા લાગ્યા, પરંતુ પેાતાના પિતા ઉદયન સાથેનું વૈર તજી દીધું નહિ. અંતકાલે પાક્ષિક અનશન લઈ પૂર્વોક્ત પાપ આલાચ્યા વગર મૃત્યુ પામીને ભવનપતિ દેવ થયા. ત્યાં એક પલ્ભાપમનું આયુષ્ય ભાગવી, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ માક્ષે જશે. શ્રીવીરપ્રભુના નિર્વાણથી સાળસેા ને અગણાતેર (૧૬૬૯) વર્ષ જ્યારે જશે, ત્યારે કુમારપાલ રાજા તે પ્રતિમાને ધૂળના ઢગલાઓમાંથી બહાર કાઢશે અને પહેલાંની માફક તેની પૂજા કરશે. જેમ દાયન રાજાએ પર્વના દિવસેાએ સર્વ સાવધકર્મ છેાડી નિષ્કામ ભક્તિવડે શુભયાગ સંયુક્ત ધર્મગ્રહણ કર્યા હતા, તેવી રીતે વ્રતધારી ગૃહસ્થાએ પણ નિષ્કામ ધર્મ ગ્રહણ કરવા. શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત પર્યુષણાષ્ટાન્તિકા વ્યાખ્યાન સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only ************ www.jainelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy