SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા ગ્રહણ કરી. પછી પ્રભવવામી પોતાની પાટે શ્રી શય્યભવને સ્થાપીને સ્વર્ગે ગયા. શ્રીશચંભવે જયારે દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી સગર્ભા હતી. તેણીએ મનક નામના પુત્રને જનમ આપ્યું. તે પુત્રના કલ્યાણ માટે શ્રીશચંભવસૂરિએ દશવૈકાલિસૂત્રની રચના કરી. પિતાની પાટે અનુક્રમે શ્રીયશોભદ્રસૂરિને સ્થાપીને, શ્રી વીર પ્રભુથી (૯૮) અઠ્ઠાણું વરસે સ્વર્ગે ગયા. વચ્છગેત્રવાળા મનકના પિતા સ્થવિર આર્ય શર્યાભવને તુંગિકામનગેત્રવાળા સ્થવિર આર્ય થશેભદ્ર નામના અંતેવાસી હતા. અહીં પ્રથમ સંક્ષિપ્ત વાચનાથી સ્થવિરાવલી કહેવામાં આવે છે. તે જેમકે; તંગિકાયનગેત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને બે સ્થવિર શિષ્યા–અંતેવાસી હતા: એક માસ્ટરગેત્રવાળા આર્ય સંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીનગેત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ. સ્થવિર આર્ય યશભદ્રની પાટે શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુ નામે બે પટ્ટધર થયા. તેમાં ભદ્રબાહુને સંબંધ આ પ્રમાણે છે: પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણ ભાઈઓએ દીક્ષા લીધી. ભદ્રબાહુને આચાર્યપદવી મળવાથી વરાહમિહિરને ક્રોધ ચડ્યો. તેથી તેણે પાછો બ્રાહ્મણને વેષ ધારણ કરી લઈને વારાહીસંહિતા બનાવી, અને નિમિત્ત જોઈને આજીવિકા ચલાવવા લાગ્યો. તે લોકોને કહેવા લાગ્યો કે:-“અરણ્યમાં કેઈએક સ્થાને / પ૩૩ Jan Ede For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy