SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જ બુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જ બુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કઈક મોક્ષે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયો અને તે જ બુસ્વામી સુધી વહેતો રહ્યો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મ એવા મુનિપર્યાયને પાળીને, તે પછી ત્રીશ કરતાં કાંઈક ઓછા વરસ સુધી કેવળીપર્યાયને પાળીને, એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાને પર્યાય પાળીને, એ રીતે, કુલ બોતેર વરસનું આયુષ્ય પુરૂં કરીને અને તેમનાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામને ચોથો આરો બહુ વીતી ગયા પછી, તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મોજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કોઈ બીજું સાથે નહીં, અદ્વિતીયપણે– ગષભદેવાદિ તીર્થંકરો દશ હજાર વગેરે પરિવાર સાથે મોક્ષે ગયા, તેમ બીજા કોઈની સાથે નહીં પણ એકાકીપણે—એ રીતે છ ટંકના ભજન અને પાણીનો ત્યાગ કરીને એટલે કે છઠ કરીને, સ્વાતિ નક્ષત્રને યોગ થતાં. પ્રભાતકાળરૂપ અવસરને વિષે–ચાર ઘડી રાત્રિ બાકી રહેતાં–પદ્માસને બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને કેઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા Kક જ National For Private & Personal Use Only bravo
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy