SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ તો ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતા પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સર્વ દુ:ખે છેદાઈ ગયાં -નિર્વાણ પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચિદસે શિષ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી. શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં મેલે જનારા હોવાથી ભદ્ર પામનારા એવા આઠસે અનુત્તરપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી, એટલે કે એમના એવા આઠસે મુનિઓ હતા કે જેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતા. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મેલે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્તક્તભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકૃતભૂમિકા એટલે જે લોકો અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મેક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકતભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકે મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી આ છે કે કરી Jain de n ational For Private & Personal Use Only library.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy