________________
राहग्रस्तनिशाकरमिव गगनं दीपहीनमिवभवनम् ।
भरतमिदं गतशोभं त्वया विनाऽद्य प्रभो ! जज्ञे ॥२॥ હે સ્વામી ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીર્થીરૂપી ઘુવડો ગર્જરવ કરી રહ્યા છે, અને દુકાળ, યુદ્ધ, વૈર વગેરે રાક્ષસો રાહ જોતાં બેઠાં છે ! હે પ્રભુ ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચંદ્રને રાહુએ ગળ્યો હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ
લાગે છે. તમારા વિના સૂનું લાગતું ભરતક્ષેત્ર દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતુ | હોય તેવું લાગે છે. ૧-૨
“कस्यांहिपीठे प्रणत : पदार्थान् पुनः पुनः प्रश्नपदीकरोमि ?
कं वा भदन्तेति वदामि को वा, मां गौतमेत्याप्तगिराऽथ वक्ता ? ॥३॥ હે નાથ ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવીને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન” કહી કોને સંબોધીશ? મને પણ હવે બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે.” ૩
For Private & Personal Use Only