SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ખાનપાનને, ચોરી વગેરે જે કર્યું હોય તે કને, સર્વજીના ભોગવિલાસને. તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય–છૂપું રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા–તેમની પાસે કરોડ દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહરયમાં–એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થએલા ભગવાન તે તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લેકના તમામ જીવોના તમામ ભાવને જાણતા જોતા વિહરતા રહે છે. તે વખતે, પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઇંદ્રિોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તરત જ તે દેવોના પરિવાર સાથે આવી પહોંરયા, અને સમવસરણની રચના કરી. તે સમવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી (જુઓ ચિત્ર નં. ૧૪૬) સમવસરણમાં દેવ અને દ્રો ભેગા થએલા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ થોડે વખત દેશના આપીને ત્યાંથી વિહાર કરીને, અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં સામિલ નામના બ્રાહ્મણના ઘેર યજ્ઞ કરવા સારુ, તે સમયના ઘણા સમર્થ બ્રાહ્મણો ભેગા થયા હતા. તેમાં ૧ ઈંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના પ્રભુએ દેશના કે આવી પહોંરયા : ભેગા થએલત ૩૮૦ Jain Educat i on For Private & Personal Use Only Horary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy