SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મુ ખ્યાલ કે:-“હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્રતા અને પવિત્ર સર્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું. આપને જે જોઈએ તે માંગી લો. કહો તો તમને સ્વર્ગમાં લઈ જાઉં, કહે તો મોક્ષમાં લઈ જાઉં.” આવા મીઠા શબ્દોથી પણ પ્રભુ ના ચલાયમાન થયા એટલે તત્કાળ કામદેવની સેના જેવી હાવભાવ કરતી દેવાંગનાઓ વિકર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણું અનુકળ ઉપસર્ગો ર્યા. પરંતુ પ્રભુનું એક રૂંવાડુંએ ના ફરકયું તે ના ફરકયું. આવી રીતે એક રાત્રિમાં દુષ્ટ સંગમે મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુએ તો તેના પ્રત્યે દયાદષ્ટિ જ રાખી. કવિ કહે છે કે:- જેનામાં જગતને નાશ કરવા જેટલું અથવા ઉદ્ધાર કરવા જેટલું અસાધારણ બળ હતું, તે પોતે જ આવા દુષ્ટ દેવ ઊપર કૃપા, દયા અને કહ્યું જ વરસાવે તો પછી ત્યાં ક્રોધ રહીને શું કરે ! એટલે કે ક્રોધને જ પ્રભુ ઊપર એટલો બધો ક્રોધ ચડ્યો કે પિતાને સાવ નિરૂપયોગી કરી મૂકનાર પ્રભુને છોડી ચાલ્યો ગયો.” સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અષણીય કરવા લાગ્યો. તે ઉપરાંત બીજા પણ ઘણી જાતના ઉપસર્ગો કરવા લાગ્યો. આવી રીતે પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. પ્રભુ વિચારવા લાગ્યા કે – હવે તો તે દેવ ગયે હશે.’ એમ ધારીને વ્રજ નામના ગોકુળમાં ગોચરી માટે પ્રભુ ગયા. ત્યાં પણ તે દેવે આહારને અનેષણીય | કરી નાખ્યો. પ્રભુએ પોતાના જ્ઞાનબળથી આ વાત જાણી લીધી અને તરત પાછા ફરી તે ગામની Jain Educa tional For Private & Personal Use Only VO
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy