SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે તે લાગ્યાં કે:-“હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી? અમે તારા વિના ઘણું દુ:ખી નિરાધાર થઈ રઝળીએ છીએ. અમારી સંભાળતું નહીં લે તો બીજું કોણ લેશે?’ ૧૪ પછી, સંગમે એક છાવણી વિમુર્થી. છાવણીના માણસેએ પ્રભુના બંને પગ વચ્ચે આગ સળગાવી, ભાત રાંધવા માટે પગ ઊપર વાસણ મૂકયું. અગ્નિ એટલો બધો સખત સળગાવ્યા કે પ્રભુના પગ તળીઓથી પણુ બળવા લાગ્યા. ૧૫ ત્યારપછી, એક ચંડાળ વિકર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને જંધા વગેરે અવયવો ઉપર તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરાની માફક છિદ્રોવાળું થઈ ગયું. ૧૬ પછી, પ્રચંડ પવન વિદુર્યો. આ પવનથી પર્વતો પણ કંપાયમાન થવા લાગ્યા, અને પ્રભુને અદ્ધર ઉછાળી ઉછાળીને નીચે પટકવા માંડ્યા. ૧૭ ત્યારપછી, પવનનો વંટોળીઓ વિફર્ચો. આ વિંટળીમાં પ્રભુને ચક્રની માફક ખૂબ ગોળગોળ ભમાવ્યા. ૧૮ પછી, એક હજાર ભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકુવ્યું. આ કાળચક્ર ઉપાડીને સંગમે પ્રભુના શરીર ઉપર નાખ્યું. આ કાળચક્ર શરીર ઊપર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. ૧૯ ત્યારપછી. સંગમે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુવ્યું. માણસે આમતેમ ફરવા લાગ્યા અને પ્રભુને કહેવા લાગ્યા કે –“હે દેવાય! પ્રભાત થઈ ગયું. આપ ધ્યાનમાં કયાં સુધી ઊભા રહેશે.” પ્રભુ તો જ્ઞાનથી જાણતા હતા કે હજુ રાત્રિ બાકી છે. ૨૦ ત્યારપછી. છેવટે તેણે દેવતાની ઋદ્ધિ વિકર્થી. પ્રભુને કહેવા લાગ્યો Jain Education International For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy