SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યા આપે દેવોથી શોભી રહેલું પદ્મ સરોવર જોયું. તેથી ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. (૧૦) દશમા સ્વમમાં આપે જે સુગંધમય પુષ્પની બે માળા જોઈ તેને અર્થ હું જાણતો નથી.” એટલે પ્રભુએ પોતે જ કહ્યું કે:-“હે ઉત્પલ ! મેં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારને ધર્મ કહીશ.” તે પછી ઉ૫લ જ્યોતિષી પ્રભુને વંદન કરીને ગયે. પ્રભુએ ત્યાં આઠ અર્ધ માસક્ષમણુ વડે પ્રથમ ચાતુર્માસ નિગમન કર્યું. ત્યાંથી પ્રભુ મારકસંનિવેશમાં ગયા. ત્યાં પ્રતિમા ધારીને રહેલા પ્રભુને મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર, પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકોને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાત કહેવા લાગ્યા. નિમિત્તને લીધે પ્રભુનો મહિમા ચોતરફ ફેલાઈ ગયે. અછંદક નામના એક તિષીથી પ્રભની આ કીર્જાિ સહન ના થઈ શકી. તેથી તે પ્રભુના મુખદ્વારા બેલાતી સિદ્ધાર્થની વાણીને લોકો પાસે ખાટી પાડવા તુરત જ ત્યાં આવ્યો. તેણે પોતાના હાથની આંગળીમાં ઘાસનું એક તરખલું બને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે:-“ કહો. આ તરણું મારાથી છેદાશે કે નહિ ? ?' સિદ્ધાર્થે કહ્યું કે:- “ એ તરખલું નહિ છેદાય.આ વચન સાંભળી અછદક આંગળી વડે તે તરખલું છેદવા તત્પર થયે, એટલામાં ઇંદ્રને અછંદકનો પ્રપંચ માલુમ પડ્યો. તેથી તત્કાળ પિતાના વા વડે અછંદકની આંગળી કાપી નાખી અને તરખલું છેદાયા વગરનું જ પડી ૩૨૮ JE For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy