SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાંઈ પ્રયત્ન કરવો પડે ખરો ??? આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને, કરૂણાવાળા પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કઈ કીમતી વસ્તુ નહિ હોવાથી, દેવદૃષ્ય વસ્ત્રને અડધો ભાગ આપ્યો, અને બાકીને અડધો ભાગ પોતાના ખભા ઊપર મૂકો. કેટલાકના મતે, પ્રભુને જેની જરૂર ન હતી તેવા વસ્ત્રને અર્ધભાગ જ આપ્યો, તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર–પાત્રની મૂછ જ સૂચવે છે. કેટલાકના મતે પ્રભુ પોતે પ્રથમ બ્રાહ્મણકુલમાં આવ્યા હતા તેના સંસ્કાર જ આ સુચવે છે. પેલો બ્રાહ્મણ તે વસ્ત્રને અડધો ભાગ લઈને રાજી થતો થતે પિતાના ગામે પહોંચ્યા. મા તેણે તે દેવદૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું. અને તે વસ્ત્રનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તૃણનારે કહ્યું :–“હે સેમ! તું પ્રભુ પાસે જા. તેઓ નિલોભી છે અને કરૂણાવાળા છે એટલે તને બીજો અડધો ભાગ પણ આપી દેશે. હું તે બંને ટુકડા એવી રીતે મેળવી આપીશ કે જેથી જરા પણ સાંધો નહિ દેખાય અને તે વેચવાથી ઓછામાં ઓછા એક લાખ સોનૈયા આપણને તેના ઉપજશે, તે આપણે બંને સરખા ભાગે વહેંચી લઈશું.” બ્રાહ્મણ પણ ફરીથી પ્રભુ પાસે પહોંચી ગયા. પરંતુ શરમને લીધે તે બોલી શક્યો નહિ. તે પ્રભુની પાછળ પાછળ, આશામાં ને આશામાં એક વરસ સુધી ભટકતો રહ્યો. પછી જ્યારે A SS : Jain Education Indemnational For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy