SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શિરોમણિ! જ્યારે પ્રભુ શ્રીવર્ધમાન સ્વામીએ સુવર્ણને વરસાદ વરસાવ્યો ત્યારે તમે પરદેશ ગયા હતા, અને હાલમાં ગયા હતા તેવા ને એવા જ નિર્ધન પાછી ઘેર આવ્યા. જાઓ અહિંથી દૂર ખસે, હું તમારું માં પણ જોવા માગતી નથી! હજુ પણ મારું કહ્યું માની જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રીવર્ધમાન પાસે જશે તો તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે. કારણ કે:-“જેમણે પહેલાં દાન આપ્યા હોય છે, તેઓ ફરીથી પણ આપી શકે છે; નદી સૂકાઈ ગએલી હોય તો પણ, દવાથી જરૂર પાણીની જરૂરીયાતવાળાને પાણી મળે છે.” - પિતાની સ્ત્રીનાં વચનો સાંભળી, પેલો બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે: “ હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું, પણું હું જ એક અભાગીય કે મને તે વખતે પરદેશમાં જવાનું સૂઝયું. હે પરદુ:ખભંજક! પરદેશમાં આટલું બધું ભમવા છતાં પણ મારું નસીબ ન ફર્યું, જેવો ગયો હતો તે જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારી જેવા પુણ્યહીન, નિરાશ્રયી અને નિર્ધન, આપ જેવા જગતને વાંછિત આપનારા પુરૂષને શરણે ન આવે તો બીજે ક્યાં જાય? દાનની મોટી નદી વહેવડાવનાર આપને મારા જેવા ગરીબનું દારિદ્રય દૂર કરવું. એમાં તે શી મોટી વાત હતી? જેણે આખી પૃથ્વીતલને જળથી ભરી દીધું હોય એવા મધને એક તુંબડું ભરવું હોય Jain Educ tional For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy