SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એ. યા. 热烈營造點營業装 ૧ દર વરસે ઓછામાં ઓછી એકવાર પણ સંધપૂજા કરવી. સંઘપૂજા એટલે સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર તથા પુસ્તકાદિનું દાન આપવું અને શ્રાવક–શ્રાવિકાને યથાશક્તિ ભક્તિપૂર્વક પહેરામણી વગેરે કરવું. સંઘપૂજ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ પ્રકારની છે. આદરપૂર્વક સર્વ સંધને પહેરામણી કરવી તે ઉત્કૃષ્ટ સંઘપૂજા જાણવી. અધિક ખર્ચ કરવાને અશક્ત હોય તે છેવટે સાધુ-સાધ્વીને સુતરની આંટી, મુહપત્તિ વગેરે અને બે ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સેપારી પ્રમુખ આપીને દર વરસે સઘપૂજા રૂપ કૃત્ય ભક્તિ વડે સફળ કરવું. અતિ નિર્ધન અવસ્થામાં પણ પુણીયા શ્રાવકની માફક ભક્તિ કરવાથી પણ સંઘપૂજાનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે संपत्ती नियमः शक्तौ, सहनं यौवने व्रतं । दारिद्रये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥ સંપત્તિમાં નિયમ, શક્તિ છતાં સહનશીલતા, યોવનાવસ્થામાં વ્રત અને દારિદ્રાવસ્થામાં અલ્પ પણુ દાન–એ મહા લાભને આપનાર છે. પ્રથમ કર્તવ્ય સંપૂર્ણ. ૨ પ્રતિવર્ષ સાધમ કોને આમંત્રણ આપી, ઉત્તમ આસન પર બેસાડીને વસ્ત્રાદિકનું દાન કરવું અને જો કોઈ સાધમ આર્થિક આપત્તિમાં આવી પડ્યો હોય તો તેને પોતાનું ધન આપીને ઉદ્ધાર કરવો. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy