SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચવીને કેટલાક કાળ સંસારમાં ભમીને, ચૌદમા ભવે રાજગૃહ નામના નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને, બ્રહ્મ દેવલોકમાં મધ્યમ રિસ્થતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને સેળમાં ભવે રાજગૃહ નગરમાં વિશાખભૂતિ નામના યુવરાજની ધારિણી નામની ભાર્યાની કુક્ષિથી, એક કરોડ વર્ષના આયુષ્યવાળા વિશ્વભૂતિ નામના યુવરાજપુત્ર થયા. [વિધભૂતિ એક વખત પોતાના અંત:પુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો. તે જોઈ તેના કાકાના દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે: ‘જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે, ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહીં, માટે તેને કપટ કરી બહાર કાઢું તો ઠીક થાય.” એમ વિચારી વિશાખાનંદીએ કપટ કરી સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢો. અને પોતે ઉદ્યાનમાં રહી પોતાની સ્ત્રીઓ સાથે રમત કરવા લાગ્યા. વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ખુબ ક્રોધ ચડ્યો. તેણે કઠાના એક વૃક્ષને એક માત્ર મૂઠી મારી બધાં ફળો નીચે પાડી દીધાં અને વિશાખાનંદીને ઉદ્દેશીને બોલ્યો કે: “કેટીના ફળની જેમ તમારા બધાનાં મસ્તકો હ જોતજોતામાં ધરતી ઉપર રગદોળી શકું છું. પણ શું કરું? વડીલો તરફની મારી ભક્તિ અને તેમ કરતાં અટકાવે છે મારે હવે આવા કપટવાળા ભેગપભેગે નહીં જોઈએ.']. પછી વિષયોથી વિરક્ત થએલા વિધભૂતિએ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. Jain Education International For Private & Personal Use Only www .on
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy