________________
પ્રકાશકીય નિવેદન
ક
આગમવિભાગના અપ્રગટ ગ્રંથની અમારી પ્રકાશન-ચેજનામાં આ પંચમ પ્રકાશન પ્રગટ કરતાં અનહદ આનંદ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને પ્રથમ ભાગ વિ. સં. ૨૦૧૫ માં બહાર પડી ગયો છે. બીજા શ્રુતસ્કંધરૂપ આ બીજો ભાગ પ્રસિદ્ધ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રંથનું નામ પ્રાકૃતમાં સૂયગડાંગ અને સંસ્કૃતમાં સૂવકતાંગ છે. ગ્રંથ અંગેની માહિતી પ્રથમ વિભાગમાં સવિસ્તર આપેલી છે. - વિવરણ –આ સૂત્ર ઉપરની દીપિકાનું નામ સમ્યક્ત્વ દીપિકા પણ છે. તે સિવાય આ સૂત્ર ઉપર આચાર્ય શ્રી હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ સં. ૧૫૮૩ માં ૬૬૦૦-૭૦૦૦ કપ્રમાણુ દીપિકા રચી છે. જે બાબુ ધનપતસિંહજી તરફથી મુદ્રિત થઈ છે, તેમને સારભાગ આ ગ્રંથમાં પાછળ આપવામાં આવેલ છે તેમ જ આ ગ્રંથ ઉપર બાળાવબોધ શ્રી પાર્ધચંદ્રસૂરિએ કરેલ છે.
બીજી દીપિકા- શ્રી સાધુરંગ ઉપાધ્યાયે રચી છે. જેને પ્રથમ ભાગ અમારા તરફથી બહાર પડી ચૂક્યો છે. બાકીને બીજો ભાગ આ ગ્રંથમાં પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથની પ્રેસકેપી ગણિ શ્રી બુદ્ધિમુનિજી તરફથી અમને મળી હતી. જે અમે સાભાર પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આ સૂત્રને બે (બાળાબેથ ) ગુજરાતી ભાષાંતર આ૦ શ્રી જિનમાણેકસૂરિજી વગેરે તરફથી પ્રકાશિત થયા છે. અંગ્રેજીમાં હર્મન જેકેબી તરફથી ભાષાંતર થયું છે.
Jain Education in
For Private & Personal use only
Wijainerary.org