________________
*
*
K<ts
उत्तरा०
*
प्रकाशकीय
अवचूर्णिः पूर्वार्धः
*
*
*
*
*
*
*
– પ્રકાશકીય નિવેદન:આગમ પંચાંગીના અપ્રગટ ગ્રંથોની અમારી આ પ્રકાશન યોજનામાં આ ચતુર્થ ગ્રંથ પ્રકાશન કરતાં અને અનહદ આનંદ થાય છે. આ ગ્રંથ શ્રીઉત્તરાધ્યયનમૂત્ર મહાકાય હોવાથી બે ભાગમાં પ્રકાશન કરવાનું વિચાર્યું છે. કારણ કે ગ્રંથ આઓ તૈયાર કરવામાં ઘણો સમય જાય છે. આથી આ પ્રથમ ભાગમાં ૨૩ અધ્યયન આપવામાં આવ્યાં છે. આ ભાગમાં ફર્મા ૩૨, પાન ૧૯૬, સૂત્ર ૧૨ ને ગાથા ૯૨૦ છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અંતસમયની દેશના આ ગ્રંથમાં ગુંથવામાં આવી છે. આ ગ્રંથ અંગેની સાહિત્ય વિગતે અત્રે આપવામાં આવી છે. વિશેષમાં આ ગ્રંથને ચિત્રમય બનાવવા પણ વિચાર્યું છે. અને તેને અંગે સાક્ષરવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રતના ચિત્રો બ્લોકો બનાવી મુકવા વિચાર્યું છે. નવા વર્ષના શુભદિવસે-બેસતા વર્ષે ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન-વાંચન મુનિવર્ચતરફથી થાય છે.
આ અવચૂણિના કર્તાના નામનો નિર્દેશ મળ્યો નથી, જેથી ચિરંતનાચાર્ય વિરચિત તરીકેનો સંતોષ માનવાનો રહે છે. જો કે તે છે તો ઘણિ જુનેજ, બીજા ભાગમાં અપ્રગટ અવસૂરિઓનો (આદિઅંત ભાગનો) પણ સમાવેશ કરવામાં આવશે.
આ ગ્રંથની પ્રેસકોપીનું સુચન મુનિ મહારાજ શ્રીગુણસાગરજી મ. તરફથી મળ્યું હતું. જેથી તેનું સંપાદન કરવા પણ ફંડે તેમને વિનંતી કરી જેનો સ્વીકાર થયો હતો અને મુનિચનવિજયજી તથા સ્વ. મુનિ ક્ષેમકરસાગરજીએ સંપાદન શરુ કર્યું હતું. આથી અમો આ પ્રથમ ભાગ પ્રગટ કરી શક્યા છીએ.
આચાર્યદેવ આગમ દ્વારકશ્રીના પ્રેસકપીઓના સંગ્રહમાંથી અમોને બે અપ્રગટ કતિઓ આગમ પંચાંગીની ઉપલબ્ધ થઈ હતિ-(૧) પિંડનિર્યુક્તિ અવસૂરિ ક્ષમાકલ્યાણ અને (૨) ઉત્તરાધ્યયન અવસૂરિ, જે બંને ગ્રંથો અમો પ્રગટે કરવા ભાગ્યશાળી થયાં છીએ. ગ્રંથસંબંધિ વિવેચનનો ખ્યાલ આ સાથે આપવામાં આવે છે.
મોતીચંદ મગનભાઈ ચોકસી.
મેનેજીંગ ટ્રસ્ટી.
શેઠ. દે. લ. જૈનપુસ્તકોદ્વારકફંડ, ૧. પ્રકાશક મહારાય જે આ લખે છે તે તેમ નથી પણ દિવાળીના દિવસમાં આનું વાંચન કેટલાક સાધુ સાધ્વીઓ કરે છે.-સંપાદક,
*
*
K:
K૦ *
Kets &
उत्तरा०*
2 Ke Ke
Jain Educational
હિe
For Privale & Personal use only
nelibrary.org