________________
પ્રકાશકીય
સાધુ તથા શ્રાવકને નિત્ય અવથ કરણીય છ આવશ્યક છે. છ આવશ્યકના ગણધરરચિત સૂત્ર પર અનેક વિવેચને રચાયેલા છે.
સુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુક્તિ રચેલી છે
શ્રી જિનભદુગણી ક્ષમામણુ ભગવંતે ભાષ્ય (સામાયિક અધ્યયન પર) રચેલ છે. તેના પર પિતે ટીકા રચી છે મલધારિ હેમચંદ્રસુરિ મહારાજાએ પણ ભાષ્ય પર ટીકા રચેલ છે. પૂજય જિનદાસગણિએ ચૂર્ણ રચેલ છે. આ સિવાય પૂજય હરિભદ્રસૂરિ મહારાજે તથા પૂજ્ય મલયગીરિ મહારાજાએ ટીકાઓ રચેલ છે. પૂજ્ય શ્રી માણેજ્યશેખરસૂરિએ દિપિકા રચી છેઆ સિવાય અન્ય પણ ઘણુ સાહિત્ય રચાયું હોવાની સંભાવના છે.
પૂજયપાદ શ્રી મલયગીરિ મહારાજની વૃત્તિ પ્રથમ સામાયિક અધ્યયન પર સંપૂર્ણ છે, તથા બીજા ચતુર્વિશતિ સ્તવ (લેગસ્ટ)ની ત્રણ ગાથા સુધી સંપૂર્ણ તથા ચાથી ગાથાના પ્રથમ પદ “શું”ના વિવેચન સુધીની છે. આ વૃત્તિને પૂજય આગમ દ્વા૨ક સાગરાનંદસૂરિ (સાગરજી) મહારાજે સંશોધન કરી ત્રણ ભાગમાં પ્રકાશિત કરાવેલ છે. પ્રથમ બે ભાગ ક્રમશઃ સંવત ૧૯૮૪, ૧૯૮૮માં આગમેદય સમિતિએ પ્રકાશિત કરેલ છે. ત્રીજો ભાગ સંવત ૧૯૯૨માં શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકાધાર ફડ દ્વારા પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org