________________
પ્રકાશકીય
સાધુ તથા શ્રાવકને નિત્ય અવશ્ય કરણીય છ આવશ્યક છે. છ આવશ્યકના ગણધરરચિત સૂત્ર પર અનેક વિવેચનો રચાયેલા છે.
શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુવામીએ નિર્યુકિત રચેલ છે.
શ્રી જિનભદગણિ કામાક્ષમણુ ભગવંતે ભાણ ( સામાયિક અધ્યયન પર ) રચેલ છે. તેના પર પિતે ટીકા રચી છે. મલધારિ હેમચંદ્રસૂારે મહારાજાએ પણ ભાષ્ય પર ટીકા રચેલ છે. પૂજ્ય જિનદાસગણિએ ચૂણી રચેલ છે. આ સિવાય પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે તથા પૂજ્ય મલયગીરિ મહારાજાએ ટીકાઓ રચેલ છે. પૂજ્ય શ્રી માણેજ્યશેખરસૂરિએ દિપિકા રચી છે. આ સિવાય અન્ય પણુ ઘણુ સાહિત્ય રચાયું હોવાની સંભાવના છે.
પૂજ્યપાદ શ્રી મલયગીરિ મહારાજની વૃત્તિ પ્રથv સ માયિક અધ્યયન પર સંપૂર્ણ છે, તથા બીજી ચતુર્વિશતિ સ્તવ (લેગરસ) ની ત્રણ ગાથા સુધી સંપૂર્ણ તથા થી ગાથાના પ્રથમ પદ “કુંથુના વિવેચન સુધીની છે. આ વૃત્તિને પૂજ્ય આગમ દ્વારકા સાગરાનંદસૂરિ (સાગરજી) મહારાજે સંશોધન કરી ત્રણે ભાગમાં પ્રકાશિત કરાવેલ છે. પ્રથમ બે ભાગ કમશસંવત ૧૮૮૪, ૧૯૮૮ માં આગમેદય સમિતિએ પ્રકાશિત કરેલ છે. ત્રીજો ભાગ સંવત ૧૯૯૨ માં શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર કંડ દ્વારા પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org