SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉપકારી જ્ઞાની ભગવંતોએ સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોના પ્રરૂપણા કર્ચ આપણા ઉપર અનહદ ઉપકારા કરેલ છે. સર્વ પદાન સમજવા માટે જ અનુયોગની આવશ્યકતા જ્ઞાનિ ભગવ'તાએ કથન કરેલી છે, તે અનુયોગને સમજવા માટે જુદા જુદા શાો સિદ્ધાંતો આપણી પાસે મોજુદ છે, જેમ કે, દ્રવ્યાનુયોગ સમજવા સ’મતિતક ચરણકરણાનુયોગ સમજવા આચારાંગાદિ ગણિતાનુયોગ સમજવા સૂર્ય પ્રજ્ઞપ્તિ-ચદ્ર પ્રજ્ઞપ્તિ વિ. કથાનુયોગ સમજવા જ્ઞાતાધર્મ કથાંગ—ઉત્તરાધ્યયન, વિવાક સૂત્ર આદિ. શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં આ ચારે અનુયોગની પ્રાપ્તિ થાય છે. તે ખરેખર આ ગ્રંથની મુખ્ય વિશેષતા રહેલી છે. આપણા શાસનમાં ઉપદેશક ગ્રંથા ઘણા ઘણા રહેલા છે. શ્રી ધર્માંદાસગણિ મ. વિરચિત ઉપદેશમાલા, સહસાવધાની આ. શ્રી. મુનિસુંદરસૂરિ મ. વિરચિત ઉપદેશરત્નાકર, શ્રી કે મધ ગણિકૃત ઉપદેશ સુપ્તતિકા, શ્રી કુલસાગણિ રચિત ઉપદેશસાર આદિ આદિ. ઉપરોક્ત ઉપદેશક ગ્રંથાની અપેક્ષાએ આ.શ્રી. વિજ્ય લક્ષ્મીસૂરિ મ. નિર્મિ`ત શ્રી ઉપદેશ પ્રાસાદ વિસ્તૃત અને વધુ પદાર્થોની પ્રરૂપણા કરતા ગ્રંથ છે. આ મહાગ્રંથના ગ્રંથકાર મહર્ષિએ વિષયને અતિ સરળતાથી પ્રતિપાદન કરવામાં ખુબ જ કુશળતા વાપરી છે. કઠિનમાં કઠિન વાતને પણ આબાલવૃદ્ધ સમજી શકે તે માટે એકેએક વ્યાખ્યાનોમાં શાસ્ત્રીય, લૌક્કિ લોકોત્તર દૃષ્ટાંતોનો ઉપયોગ કરેલ છે. સાથે સાથે દરેક વાતને અતિપુષ્ટ બનાવવા શાસ્રપાઠો, આગમ સાક્ષી પણ ઠેરઠેર જોવા મળે છે આથી આ ગ્રંથરત્નને શાસ્ત્ર-સિદ્ધાંત સંગ્રહ કહેવામાં શું અતિશયોક્તિ લાગશે ? Jain Education International 201_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600036
Book TitleUpdesh Prasad Part_3
Original Sutra AuthorN/A
AuthorVijaylaxmisuriji
PublisherSurendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad
Publication Year
Total Pages512
LanguageSanskrit
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy