________________
આ ગ્રંથ અતિમહત્તર હોવાથી ૪ વિભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગમાં ૬-૬ સ્તંભોનો સમાવેશ કરેલ છે. સ્થંભમાં પ્રાય ૧૫-૧૫ વ્યાખ્યાનો રહેલાં છે. આથી બધા મળીને આખા ગ્રંથમાં ૩૬૧ વ્યાખ્યાનો છે, જે વર્ષના ૧-૧ દિવસ માટે પર્યાપ્ત બને છે. માટે પણ આ ગ્રંથ આદરપાત્ર છે.
આજથી પ્રાય: ૨૦૦ વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ જૈન ધર્મના નાના મોટા પ્રાય: દરેક વિષયને આવરી લેતા હોવાથી અતિઉપયોગી સાબિત થયો છે. આ ગ્રંથની રચના દ્વારા આચાર્યશ્રીએ આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. અન્ય ઉપદેશક ગ્રંથોની અપેક્ષાએ આ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથનો વપરાશ વધુ પ્રમાણમાં જેવા મળે છે. વળી પૂર્વે છપાયેલ ગ્રંથ પણ આજે અપ્રાપ્ય હોવાથી મારા પૂ. તારક ગુરૂદેવશ્રીને આ ગ્રંથ છપાવવાની ઘણા સમયથી ભાવના હતી તે ભાવનાને અનુરૂપ શ્રુતિભક્તિ રૂપે અનેક સ'સ્થાએ, મહાનુભાવોએ, આ ગ્રંથ પ્રકાશનમાં લાભ લીધેલ છે. જે અનુમેાદનીય છે.
પ્રાન્તે ભવ્યાત્માઓ આ ગ્રંથનો સદુપયોગ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે તે જ શુભેચ્છા,
Jain Education International 201_05
સવત ૨૦૪૪, માગસર સુદ ૧૪
તા. ૪-૧૨-૧૯૮૭
સ્થળ : ઝવેરી પાર્ક જૈન ઉપાશ્રય
અમદાવાદ
For Private & Personal Use Only
લી.
પૂજ્યાચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ના
વિનેયાણ જગચ્ચન્દ્ર વિજય
www.jainelibrary.org