________________
SWISMISLILIKLASILAISVAISSAISASSASSASSASSINANSMINISTYS
સ્વ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની ૮૦ વર્ષ પહેલાં લખાયેલી ભવિષ્યવાણી
|
Q5XOFFEEOS
એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે. સહુ દેશના સ્વતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીર કર્મવીરો, જાગી અન્ય જગાવશે. અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અશ્રુ હુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. સહુ દેશમાં સૌ વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે.
સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદભુત વાત જણાવશે. રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક ખંડ બીજા ખંડની, ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે. એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતા માં થાવશે, બુદ્ધિસાગર પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે.
5555555SOSS
SPISAKINLANAKLINAISISSISSISCANAISPINKISAJNIMAKASI