SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ બાજું બત્રીસ લાખ વિમાનના માલિક, દક્ષિણાઈ–ભરતના સ્વામી, સૌધર્મેન્દ્ર ભગવંતની પરમભક્તિથી પ્રેરાઈ પાલક નામના વિમાનને ચાવી પિતાના સમગ્ર પરિવારથી પરિ– વરેલા સૌધર્મ દેવલોકમાંથી નીકળી ભગવંતના જન્મથી પવિત્ર થયેલા નગરમાં આવી વિમાનમાંથી ઊતરી માતાને નમી, માતાની તેમ જ પ્રભુની સ્તવના કરી, માતાની રજા લઈ માતાને અવસ્થાપિની નિદ્રા આપી પ્રભુને પોતે પાંચરૂપે મેરુ પર્વત ઉપર લઈ જાય છે. એકરૂપથી પ્રભુજીને બે હાથે ગ્રહણ કરી, બે રૂપથી ચામર ઢાળતાં, એકરૂપે પ્રભુ ઉપર છત્ર ધરતાં, અને એક રૂપે આગળ હર્ષથી વજને ઉલાળતાં ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત ઉપર લાવે છે. આ બાજુ બાકીના ત્રેસઠ ઈન્દ્રોને પણ આસન ચલાયમાન થતાં પિત પિતાનાં સેનાધિપતિને સંદેશ પાઠવવાનું જણાવે છે. તેની જાણ થતાં સહુ દેવતાઓ સાથે ત્રેસઠ ઇન્દ્રો ત્યાં આવે છે અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પરમભક્તિથી ઇન્દ્રો આદિ દેવતાઓ પ્રભુને જન્માભિષેક કરે છે. પ્રભુને ઉત્સગમાં લેવાનો લાભ સૌધર્મેન્દ્ર ભે છે. જ્યારે બીજા બધા ઈન્દ્રો તેમજ દેવતાઓ, ઈન્દ્રા , દેવીઓ આદિ અભિષેક કરી રહ્યા છે બાદ બીજા દેવકના સ્વામી ઈશાનેન્દ્ર પ્રભુને ઉસંગમાં લે છે, અને ત્યારે સૌધર્મેન્દ્ર વિચારે છે, કે ખરેખર આ પરમતારક આગળ હું પશું જે પણ નથી ” એમ માની વૃષભનું રૂપ ધારણ કરી પિતાના શૃંગમાં જળ ભરી પ્રભુને ખાત્ર મહોત્સવ કરે છે, ત્યારબાદ સુગંધી સુકેમળ ચીનાંશુકેથી પ્રભુની કાયાને લુછી ગશીર્ષ ચંદન આદિનું વિલેપન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy