________________
પ્રસ્તાવના
| વસુદેવચરિયને ઉલ્લેખ કર્યો છે અને અન્યત્ર દ્વાસપ્તતિપ્રબંધને ઉલ્લેખ છે. પણ આમાંને એકે ગ્રથ આજે કયાં | ઉપલબ્ધ છે? વળી પાદલિપ્તસૂરિકૃત તરંગવઈકહા અને વિમલસૂરિકૃત હરિવંસચરિય તે આપણે સદાને માટે ગુમાવ્યાં જ
હોય એમ જણાય છે. કસવહની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૨૬)માં નિર્દેશેલ અને ઈ. સ.ના પંદરમા સૈકામાં ધર્મસૂરિએ શા રચેલ હંસસંદેશની પણ આ જ દશા છે ને? પિસાઈ પાય (પૈશાચી પ્રકૃત)માં ગુંથાયેલી અને બૃહસ્થાને નામે સુપ્રસિદ્ધ
એવી ગુણદયની કૃતિને તે કાળ કથારને એ સ્વાહ કરી ગયો છે. મુનિ (હવે પંન્યાસ) કલ્યાણવિજયજીએ “આપણાં પ્રાભૂતે”માં જે મલયવતી, અશોકવતી અને ચટકચરિત નાશ પામ્યાને ઉલ્લેખ કર્યો છે તેમાં કઈ પાઈય કૃતિ છે ? જો તેમ હોય તે તેને આપણા હાથમાંથી કાળે ઝડપી લીધી છે.
દિગંબરાચાર્ય હરિજેણે વિ. સં. ૯૮૯ (શક સંવત્ ૮૫૩, ઈ. સ. ૯૩૧-૩૨)માં જે બૃહકથાકેશ રમ્યા છે. તેના સંપાદક દિગંબર વિદ્વાન ડે આદિનાથ નેમિનાથ ઉપાધે એની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં કહ્યું છે કે કે અર્ધમાગધી આગમ જે સ્વરૂપમાં આજે મળે છે તે સ્વરૂપ એને ઘણું પાછળથી અપાયેલું છે છતાં એમાં ખરેખર એવા
१ "वंदामि भद्दबाहं जेण य अइरसियं बहुकलाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥"
આ ચરિત્ર સવા લાખ લોક જેવડું મેટું ૨ જુએ કથાણુવિજ્યજીની પ્રભાવક ચરિતની પ્રસ્તાવના (પૃ. ૭). ૩ આ લેખ જૈન યુગ (પુ. ૧, અં. ૭, પૃ. ૮૭-૯૪)માં છપાયેલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org