________________
सं० तरंगवईकहा
૩ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (પાલીતાણા) અંબાલાલ ચુનીલાલ, જ્ઞાનભંડારની ૫૪ પત્રની (. ૧૫ અ. ૪૩) પ્રત. લગભગ ૨૦૦ વર્ષ પહેલાની છે,
૪ શેઠ ડોસાભાઈ અભેચંદ જૈનસંઘ ભંડારની ૬૮ પત્રની (૫. ૧૨ અ. ૪૦) પ્રત. લગભગ ૫૦ વર્ષ ઉપર લખાયેલી લાગે છે.
૫ રેલાના ઉપાશ્રયના ભંડારની ૫૪ પત્રની (પં. ૧૩, અ. ૪૫) પ્રત. પ્રાયઃ ૨૦૦ વર્ષ પૂર્વની છે. - આ પૈકી પહેલી ત્રણે તે લગભગ સમાન છે અને ત્રીજી પ્રત ઉપરથી પહેલી અને બીજી પ્રતે લખાયેલી સંભવે છે. વળી ચોથી અને પાંચમી એ બે પ્રતે પણ લગભગ સમાન છે.
છપાયેલ પ્રતમાં આવા ( ) કૌસમાં આપેલા પાઠ શુદ્ધ કરીને મૂકેલા છે, અને આવા [ ] કૌસમાં આપેલા પાઠ નિરર્થક જેવા વધારાના જણાય છે. દિપણુમાં બ૦ એ સંકેત અમદાવાદની પ્રતનાં, અને ભ૦ ભાવનગરની પ્રતનાં તેમજ ખ૦ ખંભાતની પ્રતનાં પાઠાંતરે જણાવવા માટે રાખેલ છે. આ ગ્રન્થને અંગે અને ખાસ કરીને જે ગ્રંથરત્નનું આ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેને વિશે તેમજ તેના પ્રણેતા પૂજ્ય શ્રીમાન પાદલિપ્તસૂરિજીને વિષે પણ પ્રસ્તાવનામાં જે વિગતે સુરતની સાર્વજનિક કોલેજના અર્ધમાગધીના પ્રાધ્યાપક શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ રજૂ કરેલી છે. એ પ્રસ્તાવના તૈયાર કરી આપ્યા બદલ અમે એમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. વિશેષમાં સુરતના મહાનુભાવોએ આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવામાં આગળથી ગ્રાહક તરીકે નામ નેંધાવી અમને અનુકૂળતા કરી આપી છે તે બદલ તેમને પણ અમે આભાર માનીએ છીએ.
શીવાડાની પળ, અમદાવાદ. | સંઘવી જીવણભાઈ છોટાભાઈ ઝવેરી. વીર સંવત ૨૩eo વૈશાખ સુદ ૩, ઈ.
દિલઝ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org