________________
સંતાवईकहा
॥ ૨ ॥
નિવેદન
અત્યાર સુધીમાં શ્રીનેમિવિજ્ઞાનગ્રન્થમાલાનાં આઠે રત્ના પ્રકાશિત થયાં છે. આજે આ ગ્રન્થમાલાનું નવમું રત્ન સક્ષિપ્ત તરગતીકથા ( તર’ગલાલા) પ્રસિદ્ધિમાં મૂકતાં અમને આનંદ થાય છે, જો કે એક બાજુથી મનમાં કાંઈક ખેદ પણ રહી જાય છે આમ કહેવાનું કારણ એ છે કે આવે! અમૂલ્ય ગ્રન્થ પહેલી વાર જ પ્રકાશિત કરવાનું અા સદ્ભાગ્ય મળે છે, પણ એ ગ્રન્થ જેટલા શુદ્ધ છપાવા જોઇએ તે માટે અમેએ અને તેટલી શુદ્ધ હાથ પ્રતો મેળવવા ઘણા પ્રયત્ન કર્યાં છતાં તેમાં અમે ફળીભૂત થયા નહિ, કાગળ ઉપર લખાયેલી તેમજ લિપિ વિનાની પ્રત અમાને મળી તે ઉપરથી આનું સ’પાદન કાર્ય કરવા પરમપૂજ્ય પરમેોપકારી પૂજ્યપાદ શાસનસમ્રાટ્ આચાર્ય વર્ષ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર સમયજ્ઞ શાન્તમૂર્તિ આચાર્ય દેવ શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજીના શિષ્યરત્ન પ્રાકૃત રૂપમાળા, પ્રાકૃત વિજ્ઞાનપાઠમાળા વગેરે અનેક ગ્રન્થના પ્રણેતા મહાપાધ્યાય શ્રીકરતુરવિજયગણિજીને વિનવ્યા, તેઓશ્રીજીએ પહેલાં તે શુદ્ધમતિના અભાવથી ના પાડી છતાં અમારે બહુજ આગ્રહ હાવાથી સ`પાદન કાર્ય કરવા તૈયાર થયા. તેમણે અતિશય પરિશ્રમ લઈ આ ગ્રન્થનું સ`પાદન કાર્ય કર્યું છે, જો કે તેમાં કેટલીક અશુદ્ધિ નિરૂપાયે રહી જવાથી તેમનુ દિલ દુભાયુ' છે, એમણે જે કાર્ય કરી આપ્યું તે બદલ અમે એમના ઋણી છીએ.
આ ગ્રન્થ નીચે મુજબની પાંચ હાથપ્રનાને આધારે શુદ્ધ કરાયેલા છે.
૧ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના ખભાત ભડારની ૫૭ પત્રની (પ', ૧૦, અ. ૬૦)પ્રત લખ્યાનો સંવત્ નથી. પણ આધુનિક જણાય છે. આ પ્રત ઉપરથી મહાપાધ્યાય શ્રીકસ્તૂરવિજયગણિજીના શિષ્ય મુનિશ્રી કુમુદચ’દ્રવિજયજી મહારાજ સાહેબે મુદ્રણપુસ્તિકા તૈયાર કરી આપી હતી તેથી તેમને પણ અનદ્ગદ ઉપકાર માનીએ છીએ. ૨ જૈનાનંદ પુસ્તકાલય (સુરત)ના ભંડારની ક પત્રની (પ. ૧૨, અ. ૭૫) પ્રત. આધુનિક,
For Private & Personal Use Only
Jain Education International
॥ ૨ ॥
www.jainelibrary.org