SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મીન રાશિ-દ, , ઝ, થ, અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સાલમાં શનિની સાડાસાતી ચાલુ છે. તે ઉપરાંત સાથે વર્ષ દરમ્યાન રાહુ બીજે ભ્રમણ કરવાનું છે. માત્ર ગુરૂ કીને રહે ત્યાં સુધી સારો ગણાય. અર્થાત આ રાશિવાળાને જીવનના સુખદુઃખ, હર્ષ, શોક, શત્રુ, 'મિત્ર આશા નિરાશા વિગેરે કોને સારો અનુભવ આ વર્ષમાં થશે. કવચીત ઘરમાં પુત્ર જન્મ કે કઈ સ્વજનના લગ્નને માંગળીક પ્રસંગ ઉજવવા વખત આવ્યો તો તેને માટે જોઇતા નાણાને અભાવ હશે. વા વિધીઓ તેમાં વિન રૂપ થવાના, વા ઘરમાં કોઈ શક આડે આવે. -ધંધાકીય ક્ષેત્રે આવક નહિ વધે પરંતુ ખર્ચ વધશે. નેકરીઓએ પિતાના નિયમીત પગારના વધારા સિવાય કોઈ વિશેષ લાભની આશા ઓછી રાખવી. -ઉલટું નજીવી બેદરકારીને લીધે ભારે ઠપકે સાંભળવા તૈયાર રહેવું પડશે. તેમ સ્થાનાંતર કે બદલી થવાની પણ શક્યતા ખરી જ, આ રાશિની સ્ત્રીઓને માટે જન્મને ગુરૂ સારો નહિ હોય તો તેમણે વર્ષના ઉતરાર્ધમાં માંદગી ભોગવવી પડશે અને તે દરમ્યાન તેમને સ્વભાવ પણું જરા ચીડીઓ થવાથી કંઈ સ્વજન સામે ઉંચા મન ને મતભેદ થવાના. આ રાજિના વિદ્યાથીઓ અભ્યાસ તે સારે કરી શકશે. તેમની ગ્રાહ્ય શકતી સારી મળશે તે સામે તેમને અનુભવ જન્ય જ્ઞાન સારું મળશે પરંતુ તેમને પુરતે યશ નટિ મળે અને પ્રગતી કંઇક મંદ જણાશે. ખાસ કરીને આ રાશિવાળાઓએ મિત્રોની પસંદગીમાં સાચવવું નહિતર કંઈક મિત્રો તમને ફસાવશે વા તમારો બેટો લાભ ઉઠાવી જશે. એટલું જ નહિ પણ તમને નાહકની ઉપાધીમાં ઉતારતા જશે. અને પછી તમારી હાંસી | ઉડાવશે તે વધારામાં. વર્ષની શરૂઆતમાં ૨૩ મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેમાં ધંધો સારો ચાલે પરંતુ હરીફનું વર્ચસ્વ વધતું જણાય. તા. ૨૩ મી નવેમ્બરથી રાહુની દિનદશા ચાલશે તેમાં ભાગીદારોમાં અંદરોઅંદર મતભેદ વધુ થાય. બાકી ચાલુ ધંધે સારે ચાલે સંતાનોની સારી પ્રગતી થાય. માત્ર નાણાભીડ વધતી જણાય. તા. ૩ જી જાન્યુઆરીથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબમાં [૮૫ કાંઈ શુભ વા માંગલીક પ્રસંગ બને. જેમાં કાંઈ કુદરતી અંતરાય આવવાને ભય છે. આમ થવાથી પિતાને ઉત્સાહ ઓછો થઈ જાય. તા. ૧૪ મી માર્ચથી સૂર્યની દિનદશા શરૂ થશે, તેમાં કુટુંબમાં કોઈને માંદગી આવે અને મનમાં ગ્લાની રહ્યા કરે. તા. ૪ થી એપ્રીલથી ચંદ્રની દિતદશા ચાલુ થશે તેમાં બહુ ખામેથી વર્તવું ધંધા કે નોકરીમાં આગળ પ્રગતી માટે કેટલા પ્રયત્ન નિષ્ફળ જવાના અને તેના બદલામાં ઉલટી ડી પછેડઠ કરવી પડશે. કંઈક પિતના ગણુતા માણસો જ તમારી વિરૂદ્ધ કાવાદાવા કરતા હશે જેની તમને તાત્કાલીક ખબર નહિ પડે. તા. ૨૪ મી મે થી મંગળની દિનદી શરૂ થશે તેમાં ઘરમાં પતિ પત્નીને મતભેદ વધે કેઈને ઓચીંતી માંદગીને પણ ભય ખરે. માત્ર ધધા પરત્વે સમય ઠીક પસાર થશે. તા. ૨૩ મી જુનથી બુધની દિનદશા શરૂ થશે તેમાં સંતાનોની સારી, પ્રગતી થાય. થોડી નાણાભીડ વધવા છતાં સ્વજનોના ઉત્કર્ષ માટે કંઈ કરી છૂટવાની તમન્ના જાગે. - તા. ૨૧ મી ઓગષ્ટથી શનિની દિનદશા શરૂ થશે તેમાં હવે ધીમે ધીમે ધંધામાં પણ સમય બારીક આવતે જણાય. મુસાફરી વા દોડધામ વધુ થવાની અને તેમ છતાં પોતાના જ માણસ તરફથી તકલીફ વધતી જણાય. તા. ૨૭ મી સપ્ટેમ્બરથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં પિતાના ઉપરી વર્ગ કે વડીલ અને સાથે જ મતમતાંતર વધે. સ્થાન ફેરફારીની પણુ થતા ખરી. એકંદર આ રાશિવાળા માટે આ વર્ષમાં કોઈ પણ સાહસ ખેડવા માટેની તકને ઝડપતાં બહુ જ વિચાર કરજે. પિતાની ફરજ બરાબર બજાવજે અને એક ઉપાધી દૂર કરવા આડું અવળું સાહસ કર્યું તે નવી જ ઉપાધી આવી પડશે તેમ સમજીને વર્તજે.
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy