SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ થાય છે, આ યોગ અત્યંત શુભ છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિરિ સહિત હોય તે તે વિષયોગ થાય છે. મૃત્યુયોગ—રવિ અને મંગળવારે ૧-૬-૬૧, સોમ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩-૮-૧૭, ગુરુવારે ૬-૯-૧૪, શનિવારે ૫-૧૦-૧૫ તિથિ હોય તે મૃત્યુયોગ થાય છે. જવાલામુખી યોગ-એકમે મૂળ, પાંચમે ભરણું, આમ કૃતિકા, અને તેમે રહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તે જવાલામુખી યોગ થાય છે આ યોગ અશુભ છે. કાળમુખી યોગ-ચોથને દિવસે ત્રણુ ઉત્તરા, પાંચમે મધા, તેમને કૃતિકા, ત્રીજને અનુરાધા તથા આઠમને રોહિણી હોય તે કાળમુખી નામને યોગ થાય છે. આ યોગ અશુભ છે. યોગીનીનું કોષ્ટક પૂર્વ ઉત્તર અગ્નિ નગય દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઈશાન ૧-૨ ૨-૧૦ ૩-૧૧ -૧૨ ૫-૧૩ ૬-૧૪ -૧૫ ૮-૩૦ આ બતાવેલ તિથિઓમાં ઉપર જણાવેલ દિશા તથા વિદિશામાં મિણી રહે છે. યોગિણી નાર માણસને પછવાડે તથા ડાબી બાજુએ સારી જાણવી. સન્મુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી. વત્સ ચાર–મીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઉગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે. તથા ધન, મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણુમાં ઉગે છે. તે વત્સ પ્રયાણું તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારો નથી એટલે બે તથા જમણે પાસે હોય તે તે સારો છે. અન્ય વિધિ-વસવાળી દિશાના સાત ભાગ કરવા. તે સાત ભાગમાં અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૨૦, ૧૫, ૧૦ અને ૫ દિવસ રહે છે. તેમાંથી ભષ્યના (થા ભાગના ) ત્રીસ દિવસમાં વત્સ હોય ત્યારે તેની સન્મુખતા. વજ છે. અર્થાત મધ્ય રાશિમાં વત્સ ઉદય પામે ત્યારે વર્ષે સમજે. મુક વિચાર કે જે દિડ્યામાં ઉમે છે તે દિરા સન્મુખ ગણાય છે. શુક્ર સમ્મુખ તથા જમણે વન્ય કહ્યો છે. શુક સન્મુખ–રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપાદ સુધી શુક્ર સન્મુખને , દેલ નથી. A રાહુવિચાર-રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અધ અર્થે પહોર નીચે આપેલ દિશા અને વિદિશામાં કમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને મૈત્રત્ય તે રાહુ ગમન કરનારને પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન- રવિવાર નૈઋત્ય, સોમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે પશ્ચિમ, ગુરૂવારે ઈશાન, શકવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે. રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભ છે. દ્વાર ચક્ર-બારણાનું મુહૂ–જે દિવસે કાર ચક્ર જેવું હોય તે દિવસે સૂય નેત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણુતાં પહેલાં ૪ નક્ષત્ર સારા, પછી ૨ ખરાબ, પછી ૪ સારાં, પછી ૭ ખરાબ, ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના ૪ નક્ષત્ર સારી છે. બારણા માટે રાહુ-માગસર, પોષ, મહા મહિનામાં રાહુ પૂર્વમાં; ફાગણ, ચૈત્ર, વૈશાખમાં રાહુ દક્ષિણમાં; જેઠ, અષાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં અને ભાદર, આસે, કાર્તિકમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ. રાહુનું મુખ-રવિવાર અને ગુરૂવાર પૂર્વમાં મુખ, સેમ અને શુક્રવારે દક્ષિણમાં મુખ; મંગળવારે પશ્ચિમમાં મુખ; બુધ અને શનીવારે ઉત્તરમાં રાહુનું મુખ જાણવું. પ્રમાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૯-૮ તિથિ સિવાય. શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત,. , શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. મધ્યમ નક્ષત્ર–હિણી, ત્રણ ઉત્તરા, ત્રણ પૂર્વે, શતભિષા, જ્યેષ્ઠા અને મૂળ. શુભ વારસોમ, ગુરુ, શુક્ર અને બુધવારે
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy