SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્રના ગણુ અવકડા ચક્રમાં બતાવેલ છે. ગુરુ શિખ્યાદિ બંનેને -એક જ ગણુ હોય તે અત્યંત પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણુ અને બીજાના મનુષ્ય ગણુ હોય તે મધ્યમ પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણું હોય તે વૈર રહે તથા મનુષ્ય અને રાક્ષસ ગણુ હોય તે મૃત્યુ થાય. નાડી –એક નાડીમાં નક્ષત્ર રહેલું હોય તે ગુરુ શિખ્યાદિને શુભ છે. આદ્ય નાડી–અશ્વિની, આદ્ર, પુનર્વસુ, ઉ. ફાલ્ગની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા, ૫. ભાદ્રપદ. મધ્ય નાડી—ભરણી, મૃગશીર્ષ, પુત્ર, પૂર્વાફાલ્ગની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ. | અંત્ય નાડી–કૃતિકા, રહિણી, આશ્લેષા, મઘા, સ્વાતિ, વિશાખા, ઉ. વાઢા, શ્રવણ, રેવતી. નક્ષત્રોની આંધળાં આદિ સંજ્ઞા તથા તેનું ફળ (આ સંજ્ઞા ખેવાયેલી–ચારાયેલી ચીજો જોવામાં ઉપયોગી છે.) આંધળાં–રેવતી, રોહિણી, પુષ્ય, ઉ. ફાલ્ગની, વિશાખા, ૫. પાદ્રા, ધનિષ્ઠા, પૂર્વ દિશા, શીધ્ર મળે. કાંણાં– અશ્વિની, મૃગશીર્ષ, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉ. પાદ્રા, શતભિષા, દક્ષિણું દિશા, યત્નથી મળે. ચીબડાં–ભરણી, આદ્ર, મલા ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂ. ભાદ્રપદ, પશ્ચિમ દિશા, ખબર મળે. દેખતાં—કૃતિકા, પુનર્વસુ, પૃ. ફાલ્ગની, સ્વાતી, મૂળ, શ્રવણ, ઉ. ભાદ્રપદ, ઉત્તર દિશાખબર પણું ન મળે. યોગેની સમજણ સિદ્ધિયોગ–શુક્રવારે ૧-૬-૧૬, બુધવારે ૨-૭-૧૨, મંગળવારે ૩-૮-૧૭, શનિવારે ૪-૯-૧૪, ગુરૂવારે પ-૧૦-૧૫, તિથિ હોય તે સિદ્ધિ થાય છે, તે શુભ છે. રવિવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ; સેમવારે રહિણી, મૃગવીષ, પુષ્ય, અનુરાધા કે શ્રવણુ; મંગળવારે ઉત્તરભાદ્રપદ, અશ્વિની, કે રેવતી, બુધવારે કૃતિકા, રહિણી, મૃગશીર્ષ, પુષ્ય, કે અનુરાધા, ગુવારે આશ્વની, પુષ્ય, પુન વસુ, અનુરાધા કે રેવતી; શુક્રવારે પુનર્વસુ, અશ્વિની, પૂર્વાફાલ્ગની, રેવતી, ૫ અનુરાધા કે શ્રવણુ, સનિવારે રોહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હોય તે; સિદ્ધિયોગ થાય છે. આ યુગ શુભ છે. રાજયોગ-મંગળ, બુધ, શુક, અને રવિ આમાંના કેઈ વારે, બીજ, સાતમ, બારસ, ત્રીજ અને પુનમ એમાંની કોઈ પણ તિથિ હોય; અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ. ફાલ્ગની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ; એમાંનું કોઈપણ નક્ષત્ર હોય તે રાજયોગ થાય છે. આ રોગ માંગલિક કાર્ય, ધર્મકાર્ય, પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે. કુમારગ-મંગળ, બુધ, સેમ અને શુક્ર એમાંના કોઈવારે; એકમ, છદ, અગિયારસ, પાંચમ અને દશમ એમાંથી કોઈ પણ તિથિ હોય, અને આશ્વની, રેશહિણી, પુનર્વસુ, મધા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણ અને પૂ ભાદ્રપદ, એમાંનું કોઈપણ નક્ષત્ર હોય તે કુમારગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ, અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના બંને ગોમાં અશુભ યોગ ન હ જોઈ એ. સ્થિર –ગુરુવારે કે શનિવારે; તેરસ, ચોથ, નેમ, ચૌદશ કે આઠમ હોય અને કૃતિકા, અદ્ધ, અશ્લેષા, ઉ. ફાલ્ગની, સ્વાતી, ચેષ્ટા, ઉ. પાત્ર, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર હોય તે સ્થિર (સ્થવિર ) ગ થાય છે. આ યોગ રેગાદિકને નાશ કરવામાં શુભ છે. ઉપગ્રહ –સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, આમું, ચૌદમું અઢારમું, ૧૯ મું, ૨૨મું, ૨૩મું, અને ૨૪મું. હોય તે ઉપયોગ થાય છે. તે શુભ કાર્યમાં વસ્યું છે. સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમું, આમું, અગીયારમું, પંદરમું, સલમ્, હોય તે તે યુગ પ્રાણહરણ કરનાર છે. સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચોથું, છ, નવમું, દશમું, તેરમું, અને વીસમું. હેય તે રવિયેગ થાય છે. આ યુગ શુભ (શ્રેષ્ઠ) છે. રવિ-સ્ત. સેમ-મૃગશીર્ષ, મંગલ-અશ્વિની, બુધ-અનુરાધા, ગુરુ-પુષ્ય, શુક્ર-રેવતી, શનિ-શહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy