SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૩ મી મેથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં આનંદપૂર્વક મુસાફરી થાય, પિતાના પૂર્વ પરિશ્રમના શુભ ફળ સાંભળવા મળે અને આગળ પ્રગતિ થાય. તા. ૯ મી જુલાઇથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં ધનાગમ સારે થાય અને નાણાની સારી છૂટ રહે. જેથી સ્વજનના સુખ સગવડતા ખાતર સારું ધન ખર્ચાય. કુટુંબ સુખ સારૂં મળે, તેમ ધ પણ સાનુકુળ ચાલે. તા. ૧૭ મી સપ્ટેમ્બરથી સૂર્યની દિનદશા શરુ થશે તે સામાન્ય સુખપૂર્વક પસાર થશે. આ સમય કાંઈ મહત્વને નહિ જણાય. તા. ૭ મી ઓકટોબરથી ચંદ્રની દિનદશા શરુ થશે તેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લેવાય, તેમ પિતાના કામકાજમાં કુદરતી સાનુકૂળતા મળી રહે. તુલા રાશિ-તુલા રાશિવાળા ૨, ત, અક્ષથી સારું થતા નામવાળા માટે આ વર્ષમાં શનિની નાની પનોતિ ચાલુ છે, પરંતુ રાહુ અને ગરુ શ્રમણ શરૂઆતમાં સારું છે તેથી વર્ષની શરૂઆતમાં આ રાશિવાળાને કુટુંબ સુખ સારું મળે, ધંધામાં કાંઇ માંગલિક પ્રસંગ બને. 1 વેપાર ધંધામાં સારી પ્રગતિ થાય. માત્ર મુસાફરી દરમ્યાન આ વર્ષમાં ખાસ જાળવવા જેવું છે કારણકે અકસ્માત યા ચોરીને ભય સૂચવે છે ખાસ કરીને જેમને મુસાફરી વધુ કરવી પડતી હોય તેમણે વાહન હંકારતાં તેમજ વાહનમાં મુસાફરી કરતી વખતે પુરી કાળજી રાખવી અને જરા પણ જોખમ જણાય તેનાથી દૂર રહેવું. વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ સારું છે. મહેનતને પુરેપુરો બદલો મળી રહેશે. વર્ષની શરૂઆતમાં તા. ૭ મી નવેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તેમાં વ્યવહારિક કામકાજને બેજ વધે અને કંઈકે માનસિક પરિતાપ ધંધા રોજગારમાં તેમજ સામાજીક પ્રવૃત્તિમાં કુદરતી અંતરાય આવવાનો ભય ખરો. તા. ૭ મી નવેમ્બરથી ચંદ્રની દિનદશા શરુ થશે. તેમાં આ રાશિવાળાએ મુસાફરી દરમ્યાન ખાસ જાળવવું કારણકે વાહનથી અકસ્માત થવાને ભય છે. બાકી કુટુંબ સુખ સારું મળશે. - તા. ૨૯ મી ડિસેમ્બરથી મંગળ મહાદશા શરુ થશે તેમાં પોતે કાંઈ ભૂલ કરી બેસે જેને લીધે પાછળથી પસ્તાવું પડે માટે અગત્યના કામમાં [ ૧૧૩ કેઈ સ્નેહીજનની સલાહ લઈને વર્તવું, બાકી સંતાન માટે સમય સારો છે. ' તા. ૨૨ મી જાન્યુઆરીથી બુધની દિનદશા શરૂ થશે તેમાં નવા અકસ્માત કે નુકશાનમાંથી બચી જશે. ધંધા રોજગારમાં મંદતા દેખાશે. પરંતુ ઉત્તરોત્તર વિદ્યાથી વર્ગ માટે સારો સમય જણાશે. તેમને અધરા વિષયોમાં સારૂં માર્ગદર્શન મળી જાય. તા. ૨૯ મી માર્ચથી શનિની દિનદશા શરુ થશે તેમાં પિતાના હરિફમાં સારું વર્ચસ્વ જામે. કોર્ટ કઆમાં કે વાદવિવાદમાં અલ્પાયાસે સફળતા મળે તેવા યોગ છે, જો કે નિત્યના કામમાં તે પરિશ્રમ વિશેષ લે પડે. તા. ૨૪ મી એપ્રિલથી ગુસ્તી દિનદશા શરુ થશે તેમાં કોઈ ભાગીદાર સાથે વહેંચણી સંબંધી તકરાર થવાને ભય છે, તેમ સ્વજનેમાં પણ મતભેદ પ્રવર્તે. વ્યવહારિક કામકાજમાં દક્ષતા ને રાખી તે થતું નુકસાન પણ સહન કરવું પડે. તા, ૨૩ મી જુનથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં કોઈ સ્વજનને કે પિતાને માંદગી આવે અને મનમાં શેક વા ચિંતા તે થયાજ કરે છે કે કઈ જાતનું નુકશાન થવાનો ભય નથી. ધંધામાંથી ધનાગમ સારો થશે. તા. ૭ મી ઓગષ્ટથી શુક્રની દિનદશા શરુ થશે. તેમાં ધંધા રોજગાર સારે ચાલે. નવા સંબધ વધે તેમ ધંધાને વિકાસ સારો થાય. નાની આ નંદપૂર્વકની મુસાફરી થવાને વેગ છે તેમ ઘરમાં પણ કાંઈ શુભ વા માંગલિક પ્રસંગ બને, વૃશ્ચિક–વૃશ્ચિક રાશિવાળા ન, ય અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સમય સુખદુઃખ મિશ્ર ફળ આપનાર જણાશે, વર્ષની શરૂઆત પિતાને માટે સારી અને પ્રગતિસૂચક છે, અને કુટુંબીજનો પરત્વે સમય સારે નથી જણાતે, કઈ કુટુંબીજનની માંદગી પિતાના આનંદમાં અંતરાય રૂપ થાય જ્યારે વર્ષના ઉત્તરાર્ધમાં પિતાને માંદગી વા અન્ય ઉપાધિ સૂચવે છે. વ્યવહારમાં કોઈની સાથે ઊંડા મતભેદ ઉભા થાય અને મીઠા સંબંધમાં છે? રેડાય તે ભય છે. માટે વાણી અને ખાનપાનમાં સંયમ રાખવા સલાહ છે. આર્થિક દૃષ્ટિએ વર્ષ ઉત્તરોત્તર સારૂં જણાશે. આ રાશિના વિદ્યાર્થિઓ માટે વર્ષ સારી પ્રગતિ સૂચવે છે. ૧૫
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy