SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશકિતનો મહિમા. #જ જીવનક્તિનો સામા. #v =7D7 લેખકઃ-સ્વર્ગ ના ઈજારદાર, ૨. અમ્રતલાલ સુંદરજી પઢીયાર. જીવનશક્તિ એ અજબ જેવી સ્વર્ગીય વસ્તુ છે, જીવનશક્તિ એ અમૂલ્ય વસ્તુ છે, જીવનશક્તિ એ આત્માની ને પરમાત્માની શક્તિ છે, જીવનશક્તિ એ જગતનાં સૈન પ્રાણીઓની વ્હાલામાં વહાલી વસ્તુ છે, જીવનશક્તિ એ દેવતાઓની મહત્તા છે, જીવનશક્તિ એ મરણ પછીના દીલાસે છે અને જીવનશક્તિને આધારે જ બ્રહ્માંડે રહેલું છે; માટે જગતમાં જેટલી સ્ત્રીઓ છે, જેટલાં શાસ્ત્રો છે અને જેટલી યુક્તિઓ છે તે બધી જીવનશકિત ખીલાવવા માટે જ છે જેમકે ખેતીવાડી જીવનશક્તિ ટકાવી રાખવા માટે છે, વેપાર જીવનશકિત માટે છે, કઈ પણ જાતની કારીગરી જીવનશક્તિને મદદ કરવાને માટે છે. મજુરીથી કેટલેક ઠેકાણે જીવનશક્તિ ઘસાતી હોય એ જુદી વાત છે પણ મજુરીનો મૂળ હેતુ તે જીવનશક્તિને ખીલવવાના જ છે, આગાટ, રેવે, બલુન વગેરે જીવનશકિતને મદદ.કરવા માટે જ છે. રસાયણ શાસ્ત્ર, ખગોળ શાઝ, ભુગોળ વિદ્યા, ભુસ્તર વિદ્યા, કાવ્યતૃત્વ અને દુરબીન, સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે અનેક જાતનાં યંત્ર એ જીવનક્રિયાને ખીલવવા માટે જ છે. વૈદકશાસ્ત્ર જીવનશક્તિ વધારવા માટે છે, પાકશાસ્ત્ર જીવનક્રિયા વધારવા માટે છે અને જેમાં માણસોને મારી નાંખવાનો હુન્નર શીખવવામાં આવે છે એવું આ દુનિયાનું લશ્કરી ખાતુ પણ જીવનશક્તિને મદદ કરવા માટે જ છે. ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે જીવનશક્તિને મદદ ન કરતું હોય એવું જગતમાં એક પણ શાસ્ત્ર નથી, જીવનશકિતને મદદ કરતી ન હોય એવી જગતમાં કોઈ પણ ક્રિયા નથી અને જીવનરાક્તિને મઢ કરતું ન હોય એવું જગતમાં કોઈ પણ કામ નથી. મતલબ કે જગતની દરેક વસ્તુઓ અને દરેક વિચારો કેઈને કોઈ રૂપમાં જીવન
SR No.541002
Book TitleStree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy