SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આગમત કમળની ભક્તિ કરવાને માટે અમરેન્દ્ર સકળ પરિવારને લઈને આવે અને બત્રીસબદ્ધ નાટક કરે તેમાં આશ્ચર્ય શું? ગર્વથી ઘેરાયેલે શું નથી કરતે? જગતમાં મનુષ્ય મદોન્મત્ત થઈને મદની ઘેલછામાં અનેક પ્રકારના અનર્થો ઊભા કરવાની દુબુદ્ધિ દોડાવે છે, મદન્મત્ત થયેલા છે પિતાના વિશ્વાસપાત્ર પાત્રએ કહેલા અમ્યુછિત્તિપણે હિત કરનારાં વચનને પણ ગણકારતું નથી, દૂરંદેશી વાપરીને તે હિતકારોને તેવા ઉત્પાતને કરનારા વર્તનથી દૂર રહેવાની દુઃખતે મને પણ ફરજ પડે છે, તે પણ મદોન્મત્ત જીવ પોતાની દુબુદ્ધિએ દેખાડેલા રસ્તા તરફ પ્રવર્તવામાં પિતાનું મહત્ત્વ સમજે છે, તેવી રીતે ચમરેન્દ્રને પણ શકેન્દ્રને પરાભવ કરવાની દુર્બદ્ધિ સૂઝી અને તે શક્રેન્દ્રને પરાભવ કરવાનો વિચાર તે ચમરેન્દ્ર પિતાની સામાનિક દેવેની પર્ષદાની આગળ જાહેર કર્યો, તે સામાનિક દેવતાઓ કે ઇંદ્રના પદવાળા નથી, તે પણ તે સામાનિક–દેવતાઓ અદ્ધિ, વિભવ, આયુષ્ય, વિગેરેની અપેક્ષાએ ઇંદ્ર કરતાં અશે પણ ઉતરતા હતા નથી અને તે સામાનિક-દેવતાઓ ઇંદ્રની અત્યંતર પર્વદા તરીકે ગણાય છે, તે સામાનિક-દેવતાઓને એટલે બધે દેવલોકમાં પ્રભાવ હોય છે, કે-જે વખત પ્રથમના ઇંદ્ર ઍવી જાય અને નવા ઇદ્રો ઉત્પન્ન ન થાય, તેની વચમાં ઉત્કૃષ્ટ છ માસ જેટલે કાળ હોય છે, છતાં તે સર્વકાળ ઇંદ્ર વિનાની દેવકની સર્વ સ્થિતિને તે સામાનિક દેવતાઓ સાચવે છે. વળી ઈન્દ્રની ઉત્પત્તિ થયા પછી પણ ઇંદ્રને પિતાના કર્તવ્યને વિચાર થાય તે વખતે ઇંદ્રને કર્તવ્યની દિશા બતાવનાર જે કંઈપણ હોય તે તે સામાનિક એટલે ઈંદ્રની સમાન ઋદ્ધિવાળા જ ઇંદ્રિો છે. ઇંદ્રને પણ સામાનિકને આશરો લેવો પડે. સામાન્ય રીતે દરેક ઇદ્રોને પિતાના જીવનમાં જ્યારે જ્યારે વિષમ પ્રસંગે પ્રાપ્ત થાય કે વિચારણીય સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે સામાનિક-પર્ષદાના દેવતાને જ આશ્રય લેવાનું હોય છે.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy